રાજ્યમાં જળસંચય માટે 10મીથી સુજલામ સુફલામ અભિયાન શરૂ થશેઃ કુંવરજી બાવળિયા

રાજ્યના જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિંછિયાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્યમાં જળસંચય માટે પાણી પૂરવઠા વિભાગ દ્વારા 10મી ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ અભિયાન શરૂ થશે.

તેમણે વિંછિયામાં તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું તેમજ કામગીરી સમયસર પૂર્ણ કરવા તંત્રને સૂચના આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર તથા CM ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં સિંચાઈના અને પીવાના પાણી માટે દૂરંદેશીભર્યું અભિયાન ઉપાડ્યું છે. ભૂતકાળમા નરેન્દ્ર મોદીએ સૌની યોજના મારફતે સૌરાષ્ટ્રમાં સિંચાઈનું પાણી પહોંચે, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામના માધ્યમથી પાણી પહોંચે અને દક્ષિણ ગુજરાતમાં મોટા ડેમો બનાવી, મોટા માળખા ઊભા કરીને સિંચાઈનું પાણી ખેડૂતોને ખેતરો સુધી મળે તે માટે પ્રયાસો કર્યા છે. આ જળસંચય અભિયાનના ભાગરૂપે પાણી પૂરવઠા વિભાગે, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ભૂતકાળમાં બનેલા ચેકડેમો, અછતમાં જળ-સંગ્રહ માટે બનાવાયેલા માળખાં, તળાવોનુ નવીનીકરણ કરવા માટે અભિયાન ઉપાડ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે પણ આ બાબતે હકારાત્મક અભિગમ સાથે ફંડ સહિતની તમામ મદદની ખાતરી આપી છે.

આ અભિયાનના ભાગરૂપે જૂના તળાવનું સમારકામ કરવાના તથા તેમને ઊંડા ઉતારવાના, વેસ્ટ વિયર તૂટી ગયા હોય તો ફરી બાંધવાના, ડિ-સિંક થયેલા તળાવોને ફરી મજબૂત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. રાજ્યમાં 10મી ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ અભિયાન વિધિવત રીતે શરૂ થશે. જેના ભાગરૂપે આ તમામ કામગીરી કરવામાં આવશે. તળાવો ઊંડા ઉતારવાની કામગીરી દરમિયાન નીકળનારો બહુમૂલ્ય કાંપ ખેડૂતો સ્વખર્ચે લઈ જઈ શકશે.

તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વર્ષો જૂના જે તળાવો છે, તેનો સર્વે કરાવ્યો છે અને આવી જગ્યાઓ પર તાત્કાલિક કામો શરૂ થાય અને પાણીનો વધારે સંચય થઈ શકે તે માટેનું અભિયાન પાણી પુરવઠા વિભાગે શરૂ કર્યું છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.