અમરેલીના આ કૌભાંડ અંગે ભાજપના નેતાએ જ કર્યું ધગધગતું ટ્વીટ

અમરેલી જિલ્લામાં ખાણ ખનિજ ચોરીનું મસમોટુ કૌભાંડ પકડાયાના મામલે ભાજપનું જ આંતરિક રાજકા૨ણ ખળપળે તેવા એંધાણ છે. અમરેલીના ભાજપ નેતા ડો.ભ૨ત કાનાબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને ટવિટ ર્ક્યુ છે અને એવો ગર્ભિત આક્ષેપ ર્ક્યો છે કે સ૨કારી કામોમાં ભાગ રાખવાની લોકપ્રતિનિધિઓની ટેવને કા૨ણે આવા કૌભાંડ થાય છે. આવા કૌભાંડમાં રાજકીય આગેવાન તથા અધિકારીઓ સામેલ હોવાનો આરોપ મુક્યો છે કોઈ નેતા-લોકપ્રતિનિધિના નામ લખ્યા નથી પ૨ંતુ ઈશારો ગર્ભિત હોવાથી સ્થાનિક રાજકા૨ણમાં પડઘા પડવાની આશંકા વ્યક્ત ક૨વામાં આવી ૨હી છે.

અમરેલી જિલ્લામાંથી મસમોટા રેતીચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે આજે બપોરે 12 વાગ્યે પીએમ મોદીને ટેગ કરી એક ટ્વીટ કર્યું હતું. જેમાં ભાક્ષી ગામ પાસેથી ઝડપાયેલા રેતીચોરીના કૌભાંડને જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું અને સાથે લખ્યું હતું કે,સરકારી કામોમાં ભાગો રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા.

અમરેલી ભાજપના નેતા પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી સમયાંતરે વિવિધ વિષયો પર ટ્વીટ કરતા રહે છે જે ચર્ચામાં પણ રહેતા હોય છે. ભૂતકાળમાં ચોમાસા દરમિયાન ધોવાઈ જતા રસ્તાઓને લઈ લેભાગુ કોન્ટ્રાક્ટરો, કટકીબાજ અધિકારીઓ અને ભ્રષ્ટ લોકસેવકોની ટોળકીને ટુકડે ટુકડે ગેંગ ગણાવી હતી. આ ઉપરાંત ન્યાયતંત્ર, ઈ-કોમર્સ કંપની, બિસ્માર રસ્તા, ગટરના પ્રશ્નો જેવા મુદ્દે આગવા અંદાજમાં કરેલા ટ્વીટ ચર્ચામાં રહ્યાં છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.