ચાંપાનેર દરગાહ તોડવા સમયે થયેલા કોમી રમખાણ કેસમાં કોર્ટ 18 આરોપીને છોડી મૂક્યા

ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસમાં આજે કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. માહિતી મુજબ, કોર્ટે 18 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઈ કે, તાજેતરમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ વડોદરા શહેરના મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. ગતરોજ તેમણે વિધાનસભામાં ચાંપાનેર દરગાહની જગ્યા પર મૂકાયેલા પોલીસ વાહનો હટાવી લેવા માટે રજૂઆત પણ કરી હતી.

જણાવી દઈએ કે, વર્ષ 2006માં ડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાંપાનેર દરવાજા પાસેની દરગાહના દબાણ હટાવવા બાબતે હિન્દુ-મુસ્લિમ કોમના ટોળાએ આમને-સામને પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસ કર્મી સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે નવાપુરા પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરી રાઇટીંગ પ્રોપર્ટી ડેમેજ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને કોર્ટ કેસની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર હવે આ મામલે કોર્ટે મોટો નિર્ણય લીધો છે.

માહિતી મુજબ, આ કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલ અને સાક્ષી-પુરાવાની ચકાસણી બાદ 24મા એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બકુલભાઈ વિ. વસાવાએ નોંધ્યું હતું કે, જે તે સમયે આરોપીઓએ મંડળી બનાવી સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હોય તેવું રજૂ કરાયેલા સાક્ષીઓ અને પુરાવાથી સ્પષ્ટ થતું નથી.

કોર્ટે નોંધ્યું કે, પથ્થરમારો થયો તે હકીકતો પણ પુરવાર થતી નથી. માત્ર પોલીસની જુબાનીના આધારે આરોપીને દોષિત ઠરાવી શકાય નહીં. આ કેસમાં આરોપી તરીકે યાકુબ હુસેન ઉર્ફે બાબુ હજામ ખલીફા, રસુલ ઉર્ફે લઠ્ઠો પઠાણ, અખ્તીયાર ખાન ઉર્ફે લુલ પઠાણ, પિન્ટુ ખારવા, રજનીકાંત ઉર્ફે મુન્નો ખારવા, રાજેશ ઉર્ફે ધોબી લુનકર, રાજેશ ઉર્ફે બટકો ચૌધરી, જિગ્નેશ ખુટવડ, સુનિલ ઉર્ફે કાલુ ખારવા, અરુણ ખારવા, બંટી ખારવા, સુનિલ કહાર, સુનિલ ઉર્ફે ગેડીયો ધાડગે અને ગૌતમ ધાડગે (તમામ રહે- વડોદરા)નો સમાવેશ થાય છે. જ્યારે ઈસ્માઈલ શેખ તથા લોમેશ ખારવા હાલ હયાત નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.