વહુને હેરાન કરી સાસરીયાઓએ દાગીના પચાવી લીધા હવે મહિને 5000 આપવા પડશે

PC: businesstoday.in

રાજેશ્રી માનામેડે કે જેઓ સુરત ખાતે રહેતા હતા તેમના લગ્ન મહારાષ્ટ્ર ખાતે રહેતા રાજેશ માનામેડે સાથે થયા હતા. (બંને પક્ષકારોના નામ બદલેલ છે) અરજદાર લગ્ન બાદ પતિ સાથે લગ્નજીવન આબાદ કરવા માટે ગયા હતા. પતિ તથા સાસરી પક્ષનાઓએ અરજદાર પત્નીને નાની નાની બાબતે લડાઇ ઝગડો કરતા હતા. સાસરી પક્ષનાઓ લગ્નના ટુંક જ ગાળામાં દહેજની માંગણીઓ શરૂ કરી અરજદાર પત્નીને ત્રાસ આપતા હતા.

પત્ની પિયરે આવી ગયા પણ સાસરી પક્ષનાઓએ અરજદાર પ્રત્યે સામાજીક હિંસા ચાલુ રાખી, અરજદાર પત્નીના ભરણપોષણ, રહેઠાણની સુવિધાઓ ન કરીને સોના ચાંદીના દાગીનાઓ પચાવી લીધા હતા. જેથી અરજદાર પત્નીએ તેમના વકીલ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે ઘરેલું હિંસાનો કેસ દાખલ કરેલો હતો.

જે કેસ ચાલી જતા સમય લાગે તેમ હોય અરજદાર પત્નીએ કોર્ટમાં વચગાળાની અરજી કરેલી, અરજદાર પત્ની તરફે દલીલો કરેલી કે તેઓ ફિલ્મ સીટીમાં પ્રેાડયુસર તરીકે પોતાનું કામ કરે છે અને ફોટોશુટમાં પણ ખાસી એવી આવક મેળવતા આવેલા છે. જે દલીલોને ધ્યાને રાખી કોર્ટે માસિક રૂપિયા 5 હજાર કેસના આખરી નિકાલ સુધી ચુકવી આપવાનો હુકમ કરેલો. અરજદાર તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષીએ દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp