હાર્દિકને મોટો ઝટકો, પોલીસ સામે ગેરવર્તનના કેસમાં કોર્ટે અરજી નામંજૂર કરી

On

ભાજપના વિરમગામના ધારાસભ્ય અને એક જમાનામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલને કોર્ટ તરફથી રાહત મળી નથી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરેલા આમરણાંત ઉપવાસ વખતે પોલીસ સાથે કરેલી ગેરવર્તણુંક કેસમાં કોર્ટે હાર્દિકની રાહત આપવાની અરજી નામજૂંર કરી દીધી છે. જો કે હાર્દિક સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક સામે અનેક કેસો થયા હતા.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન જ્યારે જોર પર હતું ત્યારે વર્ષ 2018માં હાર્દિક પટેલે નિકોલમાં આમરણાંત ઉપવાસ કર્યા હતા અને તે વખતે પોલીસ સામે ગેરવર્તણૂંક કરી હતી. એ સમયે હાર્દિક પટેલ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં રાહત આપવા માટે હાર્દિક પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે હાર્દિકની અરજી નામંજૂર કરી દીધી હતી.

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું અને એ દરમિયાન હાર્દિક સામે અનેક ફરિયાદો થઇ હતી. 18 ઓકટોબર 2015માં રાષ્ટ્ર ધ્વજનું અપવામ કરવા બદલ તેની સામે ગુનો નોંધાયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે મેચિમાં વિક્ષેપ પાડવા બદલ પણ હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી.

એ ઉપરાંત પોલીસ કર્મીઓની હત્યા વિશે કથિત ટિપ્પણી બદલ હાર્દિક પટેલ સામે સુરતની કોર્ટમાં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને હાર્દિક પટેલને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. 15, જુલાઇ 2016ના દિવસે હાર્દિકને 6 મહિના રાજ્યની બહાર અને 9 મહિના મહેસાણા બહાર રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા.

આ દરમિયાન હાર્દિક ઉદયપુરમાં રહ્યા હતા. વર્ષ 2015ના રાજદ્રોહ કેસમાં ટ્રાયલ કોર્ટમાં હાજરી આપવામાં નિષ્ફળ રહેવા બદલ હાર્દિકની 2020માં ફરી ધરપકડ કરવામાં આવી હતી. આવા તો અનેક કેસ છે.

હાર્દિક પટેલ વર્ષ 2020માં કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને ગુજરાતના કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. જો કે તેમનો થોડા જ સમયમાં કોંગ્રેસથી મોહભંગ થઇ ગયો અને જે ભાજપને હાર્દિક પટેલ સતત ભાંડતા હતા તે જ પાર્ટીમાં વર્ષ 2022માં જોડાયા. એ પછી ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિકને વિરમગામથી ટિકીટ આપી હતી અને 51555 મતથી હાર્દિક પટેલ ચૂંટણી જીત્યા હતા.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati