જૂનાગઢમાં મેસેજ વાયરલ થયો કે ડાયનાસોરના 2 બચ્ચા, 3 ઈંડા મળ્યા છે પછી શું...

જૂનાગઢના ગિરનાર જંગલમાં વિલ્ડીંગડન ડેમ પાસે ડાયનાસોરના બે બચ્ચા અને ત્રણ ઈંડા મળી આવ્યા હોવાથી સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યાનો તેમજ લોકોને અવર-જવર પર પ્રતિબંધ મૂક્યાના વાયરલ મેસેજથી જુનાગઢ સહિત સમગ્ર ગુજરાતને ધંધે લાગ્યું હતું જેમાં વન વિભાગના અધિકારીઓ પોલીસ અને આગેવાનોને ફોનની ઘંટડીઓ બંધ થતી ન હતી પરંતુ અંતે એક એપ્રિલ હોવાથી આ સમાચાર એપ્રિલ ફૂલ હોવાનું સામે આવતા રમૂજ વ્યાપી હતી.

ડાયનાસોરની પ્રજાતિ નાબૂદ થઈ ગઈ તેને પણ સદીઓ થઈ ગઈ છે તારીખ 1 એપ્રિલ હોવાથી જૂનાગઢમાંથી મેસેજ વાયરલ થયો કે વિલ્ડીંગડન ડેમ પાસે ડાયનાસોરના બે બચ્ચા મળી આવ્યા છે જેના કારણે વિલ્ડીંગડન ડેમ આસપાસનો તમામ વિસ્તાર કોર્ડન કરી લોકોને અવરજવર પર મનાઈ ફરમાવી દેવામાં આવી અને ડાયનાસોરના બે બચ્ચાની સાથે ત્રણ ઈંડા પણ મળી આવ્યા હોય અને ત્રણેય ઈંડાની જીયોગ્રાફિક એફએસએલમાં મોકલવામાં આવ્યા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સવારથી મેસેજ વાયરલ થતા થોડીવારમાં સેંકડો લોકો સુધી પહોંચી જતા જુનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. કેટલાએ લોકો આ સમાચાર જોઈ વિલિંગડન ડેમે પહોંચ્યા હતા ટ્રેકિંગ કરવા ગયેલા યુવક યુવતીઓને તેના વાલીઓએ પરત બોલાવી લીધા હતા.કેટલાય વાલીઓ તેમના સંતાનોને તેડવા રૂબરૂ પણ દોડી ગયા હતા. આ મેસેજ જેમ જેમ વાયરલ થયો તેમ જૂનાગઢમાં તેની ચર્ચાએ જોર પકડ્યું હતું મેસેજ જોઈ કેટલાય વાલીઓ પોતાના સંતાનોને શાળાએથી પણ પરત ઘરે લઈ આવ્યા હતા મેસેજથી જૂનાગઢના લોકો જ નહીં પરંતુ તંત્રના અધિકારીઓને પણ લોકોએ ધંધે લગાડી દીધા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વનવિભાગના કર્મચારીથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધી લોકો સતત આ અંગે પ્રુછા કરી રહ્યા હતા વનવિભાગના અધિકારીઓ પણ લોકોને જવાબ આપી થાકી ગયા હતા

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.