સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં નવા અરાઈવલ હોલનું ઉદ્ધાટન

અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં નવા અરાઈવલ હોલનું ઉદ્ધટાન કરવામાં આવ્યું છે. નવનિર્મિત ઈન્ટિરિયર્સમાં ગુજરાતની ઝાંખી અને પરંપરાગત સંસ્કૃતિને કંડારવામાં આવી છે. લોકો દ્વારા લોકો માટે પ્રવેશદ્વાર SVPIAના ટર્મિનલ-2 પર આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા ઈમિગ્રેશન વિસ્તાર સહિત નવો અરાઈવલ હોલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય આગમન બ્લોકમાં પેસેન્જર ટ્રાફિકને સરળ બનાવવા અને એકંદર ક્ષમતા વધારવા આ નવનિર્માણ કરવામાં આવ્યું છે.

ટર્મિનલ-2 પર વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા નવનિર્મિત ઇમિગ્રેશન વિસ્તાર સંસ્થાની સ્થિતિસ્થાપકતા, મક્કમતા અને અવરોધોને દૂર કરવાના અવિરત પ્રયાસનું પ્રમાણપત્ર છે. આગામી ભવિષ્યમાં SVPI એરપોર્ટની ગ્લોબલ માર્કેટમાં કેન્દ્રીય ભૂમિકાને જોતા તેમાં આર્થિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન તેંમજ પ્રત્યેક યોજનામાં પ્રવાસીઓ કેન્દ્રિત રાખવામાં આવી છે. SVPIA - લોકોનું એરપોર્ટ અને લોકો દ્વારા વાઇબ્રન્ટ સમુદાયો વચ્ચેના મજબૂત બંધનનું પ્રતિનિધિત્વ કરે છે. મુસાફરીના કેન્દ્ર તરીકે એરપોર્ટ અદમ્ય ભાવનાના જીવંત પ્રતિક તરીકે ઊભું છે. આવાગમનના સ્ટેશન ઉપરાંત તે આપણા ગૌરવ, ઓળખ અને મૂલ્યોનું પ્રતિબિંબ છે. SVPIA નવી તકોના પ્રવેશદ્વારનું પ્રતિનિધિત્વ કરે છે. આરામદાયક પ્રવાસ, આર્થિક વિકાસ, રોજગારીનું સર્જન તેમજ સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં તેની મહત્વની ભૂમિકા છે. તે એક એવું અવિભાજ્ય બંધન જે બધા માટે સંભાવનાઓના વૈશ્વિક દરવાજાઓ ખોલે છે.

ટર્મિનલ સ્પેસમાં 2550 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલો નવો અરાઇવલ બ્લોક 24 અત્યાધુનિક ઇમિગ્રેશન કાઉન્ટરો સહિત શહેરની કલા, સિટીસ્કેપ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ વિસ્તરણનો ઉદ્દેશ્ય એરપોર્ટ પરથી પસાર થતા લાખો મુસાફરોનું સરળ અને વધુ કાર્યક્ષમ આવાગમન સુનિશ્ચિત કરવાનો છે. અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરોની વધતી સંખ્યાના કારણે વિસ્તરણને ફાસ્ટ ટ્રેક પર રાખવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ ગત નાણાકીય વર્ષમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી હતી અને માત્ર 4.5 મહિનામાં 4 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી ચૂક્યું છે. ચાલુ વર્ષના અંત સુધીમાં એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં 25% થી વધુ વૃદ્ધિ થવાની ધારણા છે. મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા SVPI એરપોર્ટ પર અનેક માળખાકીય વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. અગાઉના ઇમીગ્રેશન વિસ્તારોમાં 16 ઇમીગ્રેશન કાઉન્ટર હતા; હવે નવા વિસ્તારમાં મુસાફરોના સીમલેસ અનુભવ માટે અદ્યતન ટેક્નોલોજી અને ઉન્નત સુવિધાઓ સાથે 24 કાઉન્ટર હશે.

 

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.