PM મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના ક્ષેત્રે નવી ઉંચાઈ આંબી રહ્યુ છેઃ દર્શના જરદોષ

સુરતના કતારગામ સુમુલ ડેરી રોડ સ્થિત ગુરૂકુલ કન્યા વિદ્યાપીઠ વી.ટી.ચોકસી કન્યા વિદ્યાલયમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા, સ્લોગન મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો સંવાદ કર્યો હતો, જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિકાસના ક્ષેત્રે નવી ઉંચાઈ આંબી રહ્યું છે. યુવાઓના શેક્ષણિક સમયમાં આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષાના સમયમાં થતી મૂંઝવણોનું નિરાકરણ લાવવા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દિશાદર્શન કરશે. ગુરૂકુલના આંગણે સ્વામીજીએ હજારો વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય કર્યું છે એનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

વધુમાં મંત્રીએ કહ્યું કે, નવા ભારતના નિર્માણમાં યુવાપેઢીનું મહત્વનું યોગદાન રહ્યું છે, ત્યારે પરીક્ષાના યોગ્ય સમયે ‘પરીક્ષા પે ચર્ચા’ એ પરીક્ષાર્થીઓ માટે મિત્રની ગરજ સારશે. પરીક્ષા દરમિયાન શાંતચિત્તે સમયના યોગ્ય મેનેજમેન્ટ સાથે વાંચન કરી પ્રફુલ્લિત મને પરીક્ષા આપવા મંત્રીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને શીખ આપી હતી.

આ પ્રસંગે ભારત સેવાશ્રમ સંઘના જોઈન્ટ સેક્રેટરી અને સુરત શાખાના અધ્યક્ષ સ્વામી અંબરિશાનંદજી મહારાજે વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણ સાથે સદ્દગુણ પણ હોવા જરૂરી હોવાનો મત વ્યક્ત કરી પુસ્તકોથી વિચારોનો વૈભવ ફેલાય છે એમ ઉમેર્યું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.