કંપનીએ જણાવ્યું વાઘ બકરી ચાના પરાગ દેસાઈ સાથે શું થયેલું
વાઘ બકરી ચાના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈના નિધન બાબતે કંપની દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કંપનીના સિનિયર VP માર્કેટિંગ યોગેશ શિંદે દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 15 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 કલાકે પરાગ દેસાઈ ઈવનિંગ વોક માટે તેમના બંગ્લા નજીક સોસાયટીમાં નિકળ્યા હતા. આ દરમિયાન રખડતા કૂતરાઓ તેમની તરફ આગળ વધ્યા હતા, જેના કારણે પરાગ દેસાઈ તેમના ઘરના કમાઉન્ડ તરફ ભાગ્યા હતા અને ત્યાં તેમણે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું, જેને કારણે તેમને નીચે પડતા બ્રેઇન હેમરેજ થયું હતું. તેમને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમના પરિવાર દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને ઈલાજ શરૂ કરવામાં આવ્યો હતો. તેમનો જીવ બચાવવા માટે ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ 22 તારીખના રોજ ડૉક્ટરોની અથાગ કોશિશ છતા તેમનો જીવ બચાવી શકાયો નહોતો અને તેમનું નિધન થયું હતું.
તેમના પરિવારમાં પત્ની વિદિશા અને દીકરી પરીશા છે. પરાગ દેસાઈ વાઘ બકરી ગ્રુપના MD રસેશ દેસાઈના દીકરા હતા. તેમને 30 વર્ષથી વધુનો બિઝનેસનો અનુભવ હતો. તેમણે કંપનીની સેલ, માર્કેટિંગ અને એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારી પોતાના પર લીધી હતી અને તેને સારી રીતે નિભાવી હતી. તેમની કંપનીનું ટર્નઓવર 1500 કરોડ રૂપિયાથી વધુ છે. વાઘ બકરી ચાની વેબસાઇટ પર જણાવ્યા મુજબ પરાગ દેસાઈ ચા ટેસ્ટિંગમાં એક્સપર્ટ અને સારી સમજ રાખતા હતા. તેમણે લોન્ગ આઇલેન્ડ યુનિવર્સિટીથી MBA કર્યું હતું.
તેમના નિધન પર કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સંવેદના વ્યક્ત કરતા ટ્વીટર પર લખ્યું હતું કે, ખૂબ જ દુખદ ખબર મળી. વાઘ બકરી ચાના ડિરેક્ટર અને માલિક પરાગ દેસાઈનું નિધન થઈ ગયું. પડ્યા પછી તેમને બ્રેન હેમરેજ થયું. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે. મારી સંવેદના સમગ્ર ભારતમાં ફેલાયેલા વાઘ બકરી પરિવારની સાથે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp