દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે નોરોવાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો

કોરોના વાયરસની અસર હજુ ઓછી થઈ હતી કે એક નવી બીમારીએ દસ્તક આપી દીધી છે. કોરોનાવાયરસની જેમ હવે નોરોવાયરસે પોતાનો કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળમાં આ રોગના ઘણા કેસ સામે આવી રહ્યા છે. રાજ્યની સરકાર અને વહીવટીતંત્ર સામે આ એક મોટો પડકાર બની ગયો છે. તિરુવનંતપુરમના વિઝિંજમની લોઅર પ્રાયમરી સ્કૂલના બે વિદ્યાર્થીઓ નોરોવાયરસ પોઝિટિવ મળી આવ્યા છે. નોરોવાયરસના આ કેસ સામે આવ્યા બાદ હલચલ મચી ગઈ છે. તો ચાલો જાણીએ શું છે નોરોવાયરસ, તેના લક્ષણો, કારણો અને તેનાથી બચવાના ઉપાયો-

મળતી માહિતી મુજબ, 42 વિદ્યાર્થીઓને ઝાડા અને ઉલ્ટીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે બે વિદ્યાર્થીઓના રિપોર્ટ નોરોવાયરસ માટે પોઝિટિવ આવ્યા હતા. નોરાવાયરસના લક્ષણો બાળકો તેમજ તેમના માતાપિતામાં જોવા મળ્યા છે. આ રોગ બાળકોમાં વધુ ફેલાય છે.

આ રોગ વ્યક્તિના શરીરમાં પ્રવેશતાની સાથે જ તેના પેટ અને આંતરડાને ગંભીર અસર કરે છે. આના કારણે, સંક્રમિત વ્યક્તિમાં પહેલા ગેસ્ટ્રોએન્ટેરિટિસની સમસ્યા શરૂ થાય છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે નોરોવાયરસ દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે નોરોવાયરસ સામાન્ય રીતે બે દિવસ સુધી રહે છે, પરંતુ તેની વધુ અસર થતી નથી. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે નોરોવાયરસથી પીડિત વ્યક્તિ ડિહાઇડ્રેશનની ફરિયાદ કરી શકે છે. સંક્રમણમાંથી સાજા થયા પછી, શરીર એક અઠવાડિયા સુધી નબળું રહે છે.

નોરોવાયરસ ગંદા પાણી અને દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું કે નોરોવાયરસ સંક્રમણથી બચવા માટે સાબુથી નિયમિત હાથ ધોવા જોઈએ. ઉપરાંત, ઉપયોગ કરતા પહેલા ફળો અને શાકભાજીને ગરમ પાણીમાં સારી રીતે ધોવા જોઈએ.

About The Author

Related Posts

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.