દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે નોરોવાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો

કોરોના વાયરસની અસર હજુ ઓછી થઈ હતી કે એક નવી બીમારીએ દસ્તક આપી દીધી છે. કોરોનાવાયરસની જેમ હવે નોરોવાયરસે પોતાનો કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળમાં આ રોગના ઘણા કેસ સામે આવી રહ્યા છે. રાજ્યની સરકાર અને વહીવટીતંત્ર સામે આ એક મોટો પડકાર બની ગયો છે. તિરુવનંતપુરમના વિઝિંજમની લોઅર પ્રાયમરી સ્કૂલના બે વિદ્યાર્થીઓ નોરોવાયરસ પોઝિટિવ મળી આવ્યા છે. નોરોવાયરસના આ કેસ સામે આવ્યા બાદ હલચલ મચી ગઈ છે. તો ચાલો જાણીએ શું છે નોરોવાયરસ, તેના લક્ષણો, કારણો અને તેનાથી બચવાના ઉપાયો-

મળતી માહિતી મુજબ, 42 વિદ્યાર્થીઓને ઝાડા અને ઉલ્ટીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે બે વિદ્યાર્થીઓના રિપોર્ટ નોરોવાયરસ માટે પોઝિટિવ આવ્યા હતા. નોરાવાયરસના લક્ષણો બાળકો તેમજ તેમના માતાપિતામાં જોવા મળ્યા છે. આ રોગ બાળકોમાં વધુ ફેલાય છે.

આ રોગ વ્યક્તિના શરીરમાં પ્રવેશતાની સાથે જ તેના પેટ અને આંતરડાને ગંભીર અસર કરે છે. આના કારણે, સંક્રમિત વ્યક્તિમાં પહેલા ગેસ્ટ્રોએન્ટેરિટિસની સમસ્યા શરૂ થાય છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે નોરોવાયરસ દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે નોરોવાયરસ સામાન્ય રીતે બે દિવસ સુધી રહે છે, પરંતુ તેની વધુ અસર થતી નથી. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે નોરોવાયરસથી પીડિત વ્યક્તિ ડિહાઇડ્રેશનની ફરિયાદ કરી શકે છે. સંક્રમણમાંથી સાજા થયા પછી, શરીર એક અઠવાડિયા સુધી નબળું રહે છે.

નોરોવાયરસ ગંદા પાણી અને દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું કે નોરોવાયરસ સંક્રમણથી બચવા માટે સાબુથી નિયમિત હાથ ધોવા જોઈએ. ઉપરાંત, ઉપયોગ કરતા પહેલા ફળો અને શાકભાજીને ગરમ પાણીમાં સારી રીતે ધોવા જોઈએ.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.