ઈન્દોરમાં કોને મળશે લોકસભાની ટિકિટ? કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું ઉડતા ઉડતા...

On

મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિયજયવર્ગીય પોતાના નીડર અંદાજ અને નિવેદનોથી હંમેશાં ચર્ચામાં રહે છે. ભાજપના કદાવર નેતાઓમાંથી એક અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય ઇન્દોરના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઈન્દોર લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના આગામી ઉમેદવારને લઈને લગાવવામાં આવેલી અટકળો પરથી ઘણી હદ સુધી પરદો ઉઠાવી દીધો. ભલે મજાકીયા અંદાજમાં જ, પરંતુ કૈલાશ વિજયવર્ગીયએ ઇશારાઓ ઇશારામાં કહી દીધું કે આ વખત કોઈ મહિલા નેતાને જ ઇન્દોરના સાંસદ બનાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, કૈલાશ વિજયવર્ગીય મોહન યાદવ સરકારમાં કેબિનેટ મંત્રી છે અને ઈન્દોર-1 વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર છે. ઈન્દોર લોકસભા સીટ આ અગાઉ સુમિત્રા મહાજન પાસે હતી અને તેઓ મહિલા સાંસદ તરીકે દિલ્હી પહોંચ્યા હતા. સુમિત્રા મહાજને વર્ષ 1989માં ઇન્દોરથી પહેલી વખત ભાજપની ટિકિટ પર જીત હાંસલ કરી હતી અને તેઓ વર્ષ 2019 સુધી અહીથી સાંસદ રહ્યા. આ દરમિયાન તેઓ લોકસભાના સ્પીકર પણ રહ્યા. લોકસભાની ચૂંટણીની તૈયારી રાજકીય પાર્ટીઓએ તેજ કરી દીધી છે.

ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે. ભાજપે મધ્ય પ્રદેશની 24 લોકસભા સીટો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે અને 5 સીટો પર નામ ફાઇનલ થયા નથી. તેમાં માળવાની ઈન્દોર સીટ પણ સામેલ છે. એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે હવે ઈન્દોરમાં ભાજપ કોઈ મહિલા નેતાને લોકસભાની ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મજાક મજાકમાં મહિલા ઉમેદવાર બનાવવા તરફ ઈશારો કર્યો છે. બુધવારે (6 માર્ચે) નગરીય પ્રશાસન મંત્રી કૈલાશ વિયજયવર્ગીય બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં વડાપ્રધાનના શક્તિ વંદન આયોજનમાં જોડાયા હતા.

અહીં તેમણે મંચ પરથી કહ્યું કે, મને ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે, શંકરજી (હાલના સાંસદ શંકર લાલવાની)ની ટિકિટ એટલે કપાઈ છે કે અહીથી માત્ર મહિલાને ટિકિટ આપવાની છે. એમ ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે કોઈ મહિલાને ચૂંટણી લડાવી શકાય છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોઈ મહિલાને ચૂંટણી લડાવો અને કોઈ સેફ સીટથી લડાવો. સારું એ બતાવો કે જો વડાપ્રધાન કહે કે અમે મહિલાને ચૂંટણી લડાવવા તૈયાર છીએ, તો કોણ કોણ તૈયાર છે?

ચૂંટણી લડવાની વાત સાંભળીને ડઝનો મહિલાઓએ હાથ ઉઠાવ્યા. એ જોઈને વિજયવર્ગીય હસતા જઇને બોલ્યા કે જો એટલી મહિલાઓ વિધાનસભા-લોકસભાની ચૂંટણી લડશે તો અમે શું કરીશું? જોકે ત્યારબાદ સંવાદદાતાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું છે તે લાલવાની અત્યારે પણ રેસમાં છે, હસી મજાકમાં કહ્યું હતું કે શંકરની ટિકિટ કપાઇ. હજુ ટિકિટ નક્કી થઇ નથી. તેઓ પણ અત્યારે ઉમેદવારીના દાવેદાર છે.

Related Posts

Top News

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સરકારે છેલ્લા 4 નાણાકીય વર્ષમાં જાહેરાતો પાછળ 370 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. માહિતી...
National  Politics 
આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે....
Entertainment 
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati