દિલ્હીના DyCM મનીષ સિસોદિયાની CBIએ ધરપકડ કરી, BJPએ કહેલું જેલ તો જવું જ પડશે

દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાની શરાબ કૌભાંડમાં રવિવારે મોડી સાંજે ધરપકડ કરી લેવામાં આવી  છે. CBIએ સિસોદીયાની 8 કલાક પુછપરછ પછી ધરપકડ કરી લીધી છે. આ કેસમાં CBIએ એક બ્યૂરોક્રેટનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સી  CBIનું કહેવું છે કે મનીષ સિસોદીયાએ આબકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી અને કેટલીક સૂચનાઓ પણ આપી હતી.

દિલ્હીના ડેપ્યૂટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની છેલ્લાં ઘણા સમયથી CBI તપાસ કરી રહી હતી. દિલ્હી સરકારની આબકારી નીતિમાં કૌભાંડ થયું હોવાનો આરોપ મુકીને  પુછપરછ ઘણા સમયથી ચાલતી હતી. રવિવારે પણ સિસોદીયાની 8 કલાક પુછપરછ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ મનીષ સિસોદીની  પુછપરછને એક ઇવેન્ટ બનાવી દીધી હતી.

મનીષ સિસોદિયા મામલે ભાજપ સાંસદ બોલ્યા- જેલ તો તેમને જવું જ પડશે

આ CBI આબકારી નીતિ કૌભાંડમાં મનીષ સિસોદિયાએ પૂછપરછ કરી રહી છે. CBIની પૂછપરછ અગાઉ મનીષ સિસોદિયા રાજઘાટ પણ પહોંચ્યા હતા. મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી (AAP) સતત આરોપ લગાવી રહી છે કે, આજે મનીષ સિસોદિયાની CBI ધરપકડ કરી શકે છે. તેના પર ભાજપે જોરદાર પ્રહાર કર્યો. ભાજપ નેતાઓએ તેને આમ આદમી પાર્ટીની ગભરાટ બતાવી છે.

તેના પર ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ મનીષ સિસોદિયા પર પ્રહાર કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારને ઇવેન્ટ મેનેજમેન્ટ બદલવાથી તેમને ભ્રષ્ટાચાર છુપાવવામાં મદદ મળશે. આબકારી નીતિ કૌભાંડ પર આમ આદમી પાર્ટીએ કોઈ જવાબ આપ્યો નથી. એક વાત તો સ્પષ્ટ છે કે, તેઓ સત્ય છુપાવવામાં લાગ્યા છે. તેમને CBIને જવાબ આપવો જોઈએ. ઇવેન્ટ મેનેજમેન્ટની જરૂરિયાત નથી.

તો દિલ્હી ભાજપના મીડિયા પ્રભારી હરીશ ખુરાનાએ ટ્વીટ કરતા કહ્યું કે, એટલા ડરી કેમ રહ્યા છો @msisodia જી. જો કંઈ નથી કર્યું તો ડરવાની શી જરૂરિયાત છે. પોતાની જાતને 'બિચારો' દેખાડવાનો પ્રયત્ન અત્યારથી @arvindKejriwal. ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું કે, જ્યારે ઠેર ઠેર દારૂની દુકાન હોય, ઑક્સિજન વેચી, લાંચખોરી કરી તો મનીષ જીને ભગતસિંહ જીની યાદ ન આવી.

હવે જ્યારે પાપોના હિસાબ થવાનો સમય આવ્યો છે તો ભગતસિંહ જી યાદ આવી રહ્યા છે. યાદ રાખજો ભગત સિંહજી આઝાદી માટે જેલ ગયા હતા, તમે જેલ જશો ભ્રષ્ટાચાર કર્યો તેના માટે. પ્રવેશ વર્માએ આગળ કહ્યું કે, મહાત્મા ગાંધીજી ભ્રષ્ટાચાર અને દારૂને અભિશાપ માનતા હતા, જો તમે તો બંને સર્વગુણ સંપન્ન છો, મનીષ જી પોતાની માતાજીનો આશીર્વાદ આજે લઈ રહ્યા છે. જો ભ્રષ્ટાચાર કરવા અગાઉ તેમને જણાવ્યું હોત તો આજે આ દિવસ ન જોવા પડતા.

દિલ્હીના લાખો યુવાનોનું જીવન બરબાદ કર્યું. તેમને જેલ તો જવું જ પડશે. ભાજપ દિલ્હીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, એ સમજથી વિરુદ્વ છે કે આમ આદમી પાર્ટીને નાટક કરવામાં આટલો આનંદ કેમ આવે છે. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. તેના પર આ પ્રકારની ખોટી ટિપ્પણી કરવી તેમની ગભરાટ દેખાડે છે. દિલ્હીના બાળકો અને વાલીઓનું માથું આજે શરમથી નમી ગયું છે કે દિલ્હીના શિયાં મંત્રી આ પ્રકારનું નાટક કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ડ્રામેબાજ છે, જે પોતાની દરેક ઘટનાને એક ઇવેન્ટના રૂપમાં લે છે.  

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.