મહા શિવરાત્રીની તૈયારીઓને લઈને બે જૂથ વચ્ચે અથડામણ, કલમ 144 લાગુ

ઝારખંડના પલામુ જિલ્લામાં બુધવારે એક બજારમાં 'તોરણ ગેટ' (એન્ટ્રી ગેટ) લગાવવાને લઈને લોકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે આ વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લાના પંકી ગામમાં અથડામણ શરૂ થઈ હતી. પ્રારંભિક અહેવાલ મુજબ મહા શિવરાત્રીની તૈયારીઓને લઈને હિંસા ફાટી નીકળી હતી. લોકોએ એકબીજા પર ઇંટો અને લાઠીઓ વડે હુમલો કર્યા બાદ સ્થિતિ વધુ વણસી હતી.

આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. બંને તરફથી થયેલા પથ્થરમારાના કારણે રસ્તા પર પાર્ક કરાયેલા કેટલાય ટુ-વ્હીલર અને કારને નુકસાન થયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હિંસક ટોળાએ કેટલાક ઘરોને પણ સળગાવી દીધા હતા. હિંસાનું કેન્દ્ર પલામુની મસ્જિદ ચોકની નજીકનો વિસ્તાર હોવાનું કહેવાય છે.

ઘટના સ્થળે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને શાંતિ જાળવવા માટે 100થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પલામુના પંકીમાં બે જૂથો વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી. કલમ 144 લાગુ કરવામાં આવી છે. ત્રણ પોલીસ સ્ટેશનોની ટીમોની હાજરી સાથે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે," પલામુના એસપી સીકે સિંહાએ જણાવ્યુ.

તરહસી, પિપ્રતંડ અને લેસલીગંજના પોલીસ સ્ટેશનોના પોલીસ કર્મચારીઓને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા કેટલાક બદમાશોની પણ અટકાયત કરી હોવાના અહેવાલ છે. સ્થિતિનો તાગ મેળવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હિંસાને કારણે કેટલાક શાળાના વિદ્યાર્થીઓ તેમના વર્ગખંડમાં અટવાયા હોવાનું કહેવાય છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.