‘માત્ર એક જગ્યાએ સંજયનું નામ ભૂલથી લખેલું પણ..’ જાણો EDએ દિલ્હી HCમા શું કહ્યું

On

દિલ્હી આબકારી નીતિના કૌભાંડમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ધરપકડ વિરુદ્ધ દાખલ અરજી પર દિલ્હી હાઇ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઇ, જેના પર નિર્ણય સુરક્ષિત રાખી લેવામાં આવ્યો. દિલ્હી આબકારી નીતિ કૌભાંડ કેસમાં સંજય સિંહે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની દ્વારા કરાયેલી ધરપકડને પડકાર આપ્યો છે, જેનો દિલ્હી હાઇ કોર્ટમાં EDએ સંજય સિંહની અરજીનો વિરોધ કર્યો છે. સંજય સિંહની અરજીનો વિરોધ કરતા EDએ દિલ્હી હાઇકોર્ટમાં દલીલ આપી કે સંજય સિંહ ન્યાયિક કસ્ટડીમાં છે. એવામાં તેમની અરજી પર સુનાવણીનું હવે કોઇ ઔચિન્તય રહી ગયું નથી.

એટલું જ નહીં EDએ કહ્યું કે, અગાઉ ચાર્જશીટમાં 4 જગ્યાએ સંજય સિંહનું નામ હતું, જેમાં માત્ર એક જગ્યા પર સંજય સિંહનું નામ ભૂલથી લખવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ભૂલમાં સુધારો કરી લેવામાં આવ્યો હતો. દિલ્હી હાઇ કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કહ્યું કે, આ એવો કેસ નથી, જ્યાં ધરપકડ માટે લેખિત ગ્રાઉન્ડ ઓફ અરેસ્ટ આપવામાં આવ્યું નથી. મની લોન્ડ્રિંગ એક સ્વતંત્ર ગુનો છે, તેની ગતિવિધિ કોઇ પણ રૂપે થઇ શકે છે એટલે એ જરૂરી નથી કે તમે મુખ્ય ગુનામાં સામેલ થાવ.

EDએ કહ્યું કે, સરકારી સાક્ષી દિનેશ અરોડાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, સંજય સિંહે મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરાવી હતી. પહેલા ચાર્જશીટમાં 4 જગ્યા પર સંજય સિંહનું નામ હતું, જેમાં માત્ર એક જગ્યા પર સંજય સિંહનું નામ ભૂલથી લખવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ એ ભૂલને સુધારી લેવામાં આવી હતી. EDએ એમ પણ કહ્યું કે, સંજય સિંહનું એમ કહેવું છે કે તપાસ એજન્સી EDએ નોટિસ મોકલવાના કારણે ધરપકડ કરી લીધી છે, એ યોગ્ય નથી. આબકારી નીતિ કેસમાં સંજય સિંહની સંડોવણી ખૂબ પહેલા જ સામે આવી ગઇ હતી.

જે નિવેદનોમાં સંજય સિંહનો ઉલ્લેખ છે એ નિવેદન સંજય સિંહની EDને નોટિસ મોકલવાના ખૂબ પહેલા નોંધવામાં આવ્યા હતા. EDએ કહ્યું કે, અમિત અરોડાએ 21 માર્ચ 2023 અને અંકિત ગુપ્તાએ માર્ચ 2023માં નિવેદન આપ્યું હતું. આ નિવેદન સંજય સિંહ દ્વારા EDને નોટિસ મોકલવાથી ખૂબ પહેલા આપવામાં આવ્યા હતા. EDએ કહ્યું કે, સંજય સિંહનું એમ કહેવું ખોટું છે કે તેમણે એજન્સીને નોટિસ મોકલી એટલે તેમની ધરપકડ કરવામાં આવી.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati