વહુના પીરિયડ બ્લડનો સોદો કાળા જાદુ માટે કર્યો, પતિ સહિત 7 લોકો સામે કેસ

મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાના માસિક ધર્મના લોહી એટલે કે પીરિયડ બ્લડનો સોદો કરવા બદલ એક પરિવારના સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, તંત્ર-મંત્ર અને કાળા જાદુની એક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પીરિયડ બ્લડનો સોદો કરવામાં આવ્યો અને તેના બદલામાં મોટી રકમ લેવામાં આવી. આ બધામાં મહિલાના પતિ ઉપરાંત તેનો દિયર અને તેના સાસરિયા પક્ષના અન્ય ઘણા લોકો સામેલ હતા. આ લોકોએ 28 વર્ષની મહિલાનું પીરિયડ બ્લડ જમા કર્યું અને તેનો સોદો કર્યો.

આ મામલો પુણેના વિશારંત વાડી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ પીડિતાનું પીરિયડ બ્લડ તેની મરજી વિરુદ્ધ ભેગું કર્યું. મહિલાની ફરિયાદના આધારે તેના પતિ, તેના સસરા, સાસુ, દિયર અને ભત્રીજા વિરુદ્ધ આઈપીસીની કલમ 377, કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્ર નિવારણ અને માનવ બલિદાન અને અન્ય અમાનવીય અનિષ્ટ અને અઘોરી પ્રથા અને બ્લેક મેજિક એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન વર્ષ 2019માં થયા હતા. લગ્ન બાદથી તેને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદ મુજબ ઓગસ્ટ 2022માં તેના સાસરિયાઓએ તેના માસિક ધર્મનું લોહી બળજબરીથી બોટલમાં ભરીને 50,000 રૂપિયામાં વેચી દીધું હતું. આ બધું બીડમાં થયું છે અને મહિલાનું પિયર પુણેમાં છે.

પુણે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે આ કેસ બીડ પોલીસને સોંપી દીધો છે. હવે બીડ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.