પત્નીનું વારંવાર સાસરું છોડીને જવું પતિ સાથે અન્યાય, HCએ મંજૂર કર્યા છૂટાછડા

On

દિલ્હી હાઇ કોર્ટે કહ્યું કે, પતિની કોઈ ભૂલ વિના પત્નીનું વારંવાર પોતાનું સાસરું છોડીને જતું રહેવું માનસિક ક્રૂરતાનું કૃત્ય છે. જસ્ટિસ સુરેશ કુમારે કૈતની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, વૈવાહિક સંબંધ પરસ્પર સમર્થન, સમર્પણ અને નિષ્ઠાના માહોલમાં ફળેફુલે છે તથા દૂરી અને પરિત્યાગ આ જોડાણને તોડે છે. કોર્ટની આ ટિપ્પણી એક-બીજાથી અલગ રહેતા એક દંપતીને પત્ની દ્વારા ક્રૂરતા અને પરિત્યાગના આધાર પર છૂટાછેડા પ્રદાન કરતા આવી છે. દંપતીના લગ્ન વર્ષ 1992માં થયા હતા અને ફેમિલી કોર્ટે પતિને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

મહિલાના પતિએ છૂટાછેડાનો અનુરોધ કરતા આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીનો ગુસ્સાળું અને અશાંત સ્વભાવ છે તેમજ તે ઓછામાં ઓછી 7 વખત તેને છોડીને જતી રહી. પતિનો આરોપ છે કે છેલ્લી વખત વર્ષ 2011માં એવું ત્યારે થયું જ્યારે પત્નીએ એમ કહેતા ઘર છોડી દીધું કે તેનો પતિ મરી ગયો છે અને ત્યારબાદ તેના પતિના હાથ પર રાખડી બાંધી દીધી હતી. આ સંકેત આપે છે કે તે હવે તેના માટે એક ભાઇની જેમ છે. તો પત્નીએ પણ પતિનું ઘર વારંવાર છોડવાની વાતને ઇનકાર ન કર્યો, પરંતુ એવો આરોપ લગાવ્યો કે, તેનો પતિ તેના પ્રત્યે ઉદાસીન હતો અને તેના સાસરાના લોકો તેનું અપમાન કરતા હતા.

પત્નીએ એમ પણ કહ્યું કે, દરેક વખત તેણે જ સાસરી છોડી નથી, પરંતુ કેટલીક વખત પતિ તેને પોતે પિયર છોડી આવ્યો. પત્નીએ એમ પણ કહ્યું કે, જ્યાં સુધી તે ત્યાં રહી, તેને પોતાના સાસરામાં ઘણા પ્રકારના અપમાનનો સામનો કરવો પડ્યો. છૂટાછેડા આપવાનો ઇનકાર કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયને પડકાર આપનારી અરજીને સ્વીકારતા પીઠે ઉલ્લેખ કર્યો કે, 7 વખત મહિલા પોતાના પતિથી અલગ થઈ અને દરેકની અવધિ 3 થી 10 મહિનાની હતી. પીઠમાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા પણ સામેલ છે.

હાઇ કોર્ટે કહ્યું કે, લાંબા સમય સુધી અલગ રહેવાથી પરિણીત સંબંધને અપૂર્ણીય ક્ષતિ પહોંચી શકે છે, જે માનસિક ક્રૂરતા છે અને પરિણીત સંબંધોથી વંચિત કરવાનું અત્યધિક ક્રૂરતાનું કૃત્ય છે. કોર્ટે કહ્યું કે, આ એક સ્પષ્ટ મામલો છે, જ્યાં આરોપી (પત્ની)એ સમય સમય પર અપીલકર્તાની કોઈ ભૂલ વિના, સાસરાનું ઘર છોડી દીધું. સમય સમય પર આરોપીનું આ પ્રકારે જવું માનસિક ક્રૂરતાનું કૃત્ય છે, જેની અપિલકર્તા (પતિ)ને અકારણ કે કોઈ ઔચિન્તય વિના સામનો કરવો પડ્યો. પીઠે કહ્યું કે, આ અરજીકર્તાને માનસિક વેદનાનો કેસ છે, જેનાથી તે છૂટાછેડા હાંસલ કરવાનો હકદાર છે.

Related Posts

Top News

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સરકારે છેલ્લા 4 નાણાકીય વર્ષમાં જાહેરાતો પાછળ 370 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. માહિતી...
National  Politics 
આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati