સિક્કિમમાં વાદળ ફાટતા પૂર, સેનાના 23 જવાનો તણાયા, શોધખોળ ચાલુ

On

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા ફ્લેશ પૂરે ભારે વિનાશ સર્જ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નોર્થ સિક્કિમમાં લ્હોનક ઝીલની ઉપર અચાનક વાદળ ફાટવાથી તીસ્તા નદીમાં પૂર આવી ગયું. ત્યાર પછી એક ડેમનું પાણી છોડવાને કારણે નદીનું જળસ્તર વધી ગયું. ત્યાર પછી ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું. ઘણાં પૂલો વહી ગયા અને રસ્તાઓ તૂટી ગયા. જેને કારણે ઘણાં સૈન્ય બેઝ પણ તેના સકંજામાં આવી ગયા. સેનાના 23 જવાનો પણ ગુમ થવાની ખબર સામે આવી છે. આ જવાનોની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ થઇ ગયું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પૂર પછી ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે નીચલા વિસ્તારોમાં પણ 15-20 ફૂટ પાણીનું જળસ્તર વધી ગયું. તેને લીધે સિંગતમની પાસે બારદાંગની પાસે ઊભા સેનાના વાહનો ડૂબી ગયા. આ ઉપરાંત 23 સૈન્ય જવાનો પણ ગુમ થવાની ખબર છે. સિક્કિમનાં ઘણાં વિસ્તારોમાં ઓરેંજ અને રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે.

સિક્કિમમાં તીસ્તા નદીનું જળ સ્તર વધવાને કારણે હાઈ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. તીસ્તા નદીમાં આવેલા પૂરને કારણે સિક્કિમમાં સિંગથમ ફૂટબ્રિજ પણ તૂટી પડ્યો. જલપાઈગુડી પ્રશાસને તીસ્તા નદીના નીચલા વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. સૌ કોઈને એલર્ટ રહેવા અને નદીના કિનારા પાસે ન જવાની સલાહ આપી છે.

બંગાળને સિક્કિમથી જોડનારો નેશનલ હાઈવે 10નો અમુક ભાગ સંપૂર્ણ રીતે પૂરના પાણીમાં વહી ગયો. આ ઉપરાંત સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ પૂરથી પ્રભાવિત વિસ્તારોને જોવા નીકળ્યા છે.

ગેંગટોકથી લગભગ 90 કિમી ઉત્તરમાં તીસ્તા ડેમની પાસે ચુંગથાંગ શહેરના નિવાસીઓને પણ બચાવવામાં આવ્યા છે. રક્ષા મંત્રાલય અનુસાર, નોર્થ સિક્કિમમાં સિંગતમને ચુંગથાંગથી જોડનારો ડિકચૂ અને ટૂંદ ગામોમાં બે પુલ પણ ક્ષતિગ્રસ્ત થયા છે. બીઆરઓ વિસ્તારોમાં સ્થાનીય લોકોને બચાવવાની કામગીરી કરી રહ્યા છે.

Related Posts

Top News

જ્યાં મહારાજ છત્રપતિ શિવાજી મહારાજને કેદ કરાયા હતા ત્યાં તાજમહેલથી ભવ્ય સ્મારક બનશે

દેશભરમાં મુઘલ શબ્દ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. NCERT પુસ્તકોમાંથી મુઘલોને લગભગ ભૂંસી નાખવાની ચર્ચા વચ્ચે, મહારાષ્ટ્ર...
National 
જ્યાં મહારાજ છત્રપતિ શિવાજી મહારાજને કેદ કરાયા હતા ત્યાં તાજમહેલથી ભવ્ય સ્મારક બનશે

હોળી-ધૂળેટીમાં 12 માર્ચ સુધી ગુજરાત એસ.ટી. વિભાગ 550 એક્સ્ટ્રા બસો દોડાવશે

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં માદરે વતન જવા માટે...
હોળી-ધૂળેટીમાં 12 માર્ચ સુધી ગુજરાત એસ.ટી. વિભાગ 550 એક્સ્ટ્રા બસો દોડાવશે

બર્ડ ફ્લૂને લઈને કેન્દ્ર સરકારે 9 રાજ્યોને કર્યા એલર્ટ

કેન્દ્ર સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે બર્ડ ફ્લૂ (H5N1)ને લઈને પંજાબ સહિત 9 રાજ્યો માટે એલર્ટ જારી કર્યા છે....
Health 
બર્ડ ફ્લૂને લઈને કેન્દ્ર સરકારે 9 રાજ્યોને કર્યા એલર્ટ

લલિત મોદી ન ઘરનો રહ્યો ન ઘાટનો... જે દેશની નાગરિકતા મેળવી તેના PMએ મુશ્કેલીમાં મુક્યો

IPL  ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરીને એક નાના દેશ વનુઆતુની નાગરિકતા સ્વીકારી લીધી હતી. પરંતુPM ...
World 
લલિત મોદી ન ઘરનો રહ્યો ન ઘાટનો... જે દેશની નાગરિકતા મેળવી તેના PMએ મુશ્કેલીમાં મુક્યો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.