ઈન્દોરમાં કોને મળશે લોકસભાની ટિકિટ? કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું ઉડતા ઉડતા...

મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિયજયવર્ગીય પોતાના નીડર અંદાજ અને નિવેદનોથી હંમેશાં ચર્ચામાં રહે છે. ભાજપના કદાવર નેતાઓમાંથી એક અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય ઇન્દોરના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઈન્દોર લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના આગામી ઉમેદવારને લઈને લગાવવામાં આવેલી અટકળો પરથી ઘણી હદ સુધી પરદો ઉઠાવી દીધો. ભલે મજાકીયા અંદાજમાં જ, પરંતુ કૈલાશ વિજયવર્ગીયએ ઇશારાઓ ઇશારામાં કહી દીધું કે આ વખત કોઈ મહિલા નેતાને જ ઇન્દોરના સાંસદ બનાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, કૈલાશ વિજયવર્ગીય મોહન યાદવ સરકારમાં કેબિનેટ મંત્રી છે અને ઈન્દોર-1 વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર છે. ઈન્દોર લોકસભા સીટ આ અગાઉ સુમિત્રા મહાજન પાસે હતી અને તેઓ મહિલા સાંસદ તરીકે દિલ્હી પહોંચ્યા હતા. સુમિત્રા મહાજને વર્ષ 1989માં ઇન્દોરથી પહેલી વખત ભાજપની ટિકિટ પર જીત હાંસલ કરી હતી અને તેઓ વર્ષ 2019 સુધી અહીથી સાંસદ રહ્યા. આ દરમિયાન તેઓ લોકસભાના સ્પીકર પણ રહ્યા. લોકસભાની ચૂંટણીની તૈયારી રાજકીય પાર્ટીઓએ તેજ કરી દીધી છે.
लोकसभा चुनाव से पहले क्या कट गया शंकर लालवानी का टिकट, @KailashOnline ने खोला राज @abplive pic.twitter.com/8fPFEPwwSN
— Umesh Bhardwaj (ABP NEWS) (@umeshindore) March 6, 2024
ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે. ભાજપે મધ્ય પ્રદેશની 24 લોકસભા સીટો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે અને 5 સીટો પર નામ ફાઇનલ થયા નથી. તેમાં માળવાની ઈન્દોર સીટ પણ સામેલ છે. એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે હવે ઈન્દોરમાં ભાજપ કોઈ મહિલા નેતાને લોકસભાની ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મજાક મજાકમાં મહિલા ઉમેદવાર બનાવવા તરફ ઈશારો કર્યો છે. બુધવારે (6 માર્ચે) નગરીય પ્રશાસન મંત્રી કૈલાશ વિયજયવર્ગીય બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં વડાપ્રધાનના શક્તિ વંદન આયોજનમાં જોડાયા હતા.
*कैलाश विजयवर्गीय ने दी सफाई, हंसी मजाक में कहा था शंकर का टिकट कटा
— Umesh Bhardwaj (ABP NEWS) (@umeshindore) March 6, 2024
अब कहा कि शंकर ललवानी अभी भी टिकट की दौड़ में हैं। इंदौर में किसे टिकट मिला मिलेगा अभी तय नहीं है। @abplive pic.twitter.com/THEs3NPj5O
અહીં તેમણે મંચ પરથી કહ્યું કે, મને ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે, શંકરજી (હાલના સાંસદ શંકર લાલવાની)ની ટિકિટ એટલે કપાઈ છે કે અહીથી માત્ર મહિલાને ટિકિટ આપવાની છે. એમ ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે કોઈ મહિલાને ચૂંટણી લડાવી શકાય છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોઈ મહિલાને ચૂંટણી લડાવો અને કોઈ સેફ સીટથી લડાવો. સારું એ બતાવો કે જો વડાપ્રધાન કહે કે અમે મહિલાને ચૂંટણી લડાવવા તૈયાર છીએ, તો કોણ કોણ તૈયાર છે?
ચૂંટણી લડવાની વાત સાંભળીને ડઝનો મહિલાઓએ હાથ ઉઠાવ્યા. એ જોઈને વિજયવર્ગીય હસતા જઇને બોલ્યા કે જો એટલી મહિલાઓ વિધાનસભા-લોકસભાની ચૂંટણી લડશે તો અમે શું કરીશું? જોકે ત્યારબાદ સંવાદદાતાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું છે તે લાલવાની અત્યારે પણ રેસમાં છે, હસી મજાકમાં કહ્યું હતું કે શંકરની ટિકિટ કપાઇ. હજુ ટિકિટ નક્કી થઇ નથી. તેઓ પણ અત્યારે ઉમેદવારીના દાવેદાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp