કેન્દ્રની સરકાર ખેડૂતોની પીડા અને જરૂરિયાતોને સમજે છેઃ PM મોદી

PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. PMએ કહ્યું હતું કે, ખાટુ શ્યામજીની ભૂમિ ભારતના ખૂણેખૂણેથી યાત્રાળુઓને આશ્વાસન આપે છે. તેમણે શેખાવતીની વીરતાભરી ભૂમિ પરથી વિવિધ વિકાસ કાર્યક્રમો શરૂ કરવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા PM કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ હપ્તાના કરોડો ખેડૂત-લાભાર્થીઓને સીધા હસ્તાંતરણનો ઉલ્લેખ કર્યો હતો. દેશમાં 1.25 લાખથી વધારે PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની કટિબદ્ધતા વિશે વાત કરતાં PMએ કહ્યું હતું કે, તેનાથી ગામડાં અને બ્લોક સ્તરે કરોડો ખેડૂતોને સીધો લાભ થશે. તેમણે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) પર ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ના ઓનબોર્ડિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી ખેડૂતોને દેશના કોઈ પણ ભાગમાંથી તેમની પેદાશો બજારમાં લઈ જવામાં સરળતા રહેશે. તેમણે યુરિયા ગોલ્ડ, નવી મેડિકલ કોલેજો અને એકલવ્ય મોડલ સ્કૂલ શરૂ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. PMએ ભારતની જનતાને તેમજ કરોડો ખેડૂતોને આજની વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા હતા.

PMએ કહ્યું હતું કે, કેન્દ્રની વર્તમાન સરકાર ખેડૂતોની પીડા અને જરૂરિયાતોને સમજે છે. PMએ સમજાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં બીજથી બજાર (બીજથી બજાર તક) સુધી નવી વ્યવસ્થા કેવી રીતે ઊભી થઈ છે. તેમણે યાદ કર્યું હતું કે, સોઇલ હેલ્થ કાર્ડ યોજના વર્ષ 2015માં સુરતગઢમાં શરૂ થઈ હતી. આ યોજના દ્વારા કરોડો ખેડૂતો જમીનના સ્વાસ્થ્ય વિશેની જાણકારીના આધારે મહત્તમ નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, 1.25 PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરશે. આ કેન્દ્રોને ખેડૂતોની જરૂરિયાત માટે વન સ્ટોપ શોપ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રો ખેડૂતોને કૃષિ સાથે સંબંધિત મુદ્દાઓ પર આધુનિક માહિતી પણ પ્રદાન કરશે. અને આ કેન્દ્રોમાં સરકારની કૃષિ યોજનાઓ અંગે પણ સમયસર માહિતી આપવામાં આવશે. PMએ ખેડૂતોને કેન્દ્રોની મુલાકાત લેતા રહેવાની અને ત્યાં ઉપલબ્ધ જ્ઞાનનો લાભ લેવાની સલાહ આપી હતી. PMએ જાણકારી આપી હતી કે, વર્ષનાં અંત સુધીમાં વધારાનાં 1.75 લાખ PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) સ્થાપિત કરવામાં આવશે.

PMએ જણાવ્યું હતું કે, હાલની સરકાર ખેડૂતોનાં ખર્ચને ઘટાડવા અને જરૂરિયાતનાં સમયે તેમને સાથસહકાર આપવા તમામ પ્રયાસો કરી રહી છે. PM કિસાન સન્માન નિધિનો ઉલ્લેખ કરીને PMએ કહ્યું હતું કે, આ દુનિયાની સૌથી મોટી યોજના છે, જ્યાં ખેડૂતોનાં બેંક ખાતાઓમાં ભંડોળ સીધું હસ્તાંતરિત થાય છે. તેમણે માહિતી આપી હતી કે, જો આજનો 14મો હપ્તો સામેલ કરવો હોય તો અત્યાર સુધીમાં 2 લાખ 60 હજાર કરોડ રૂપિયાથી વધુ સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે વિવિધ ખર્ચાઓને આવરી લેવામાં ખેડૂતોને ફાયદાકારક સાબિત થયા છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં યુરિયાની કિંમત દ્વારા સરકાર ખેડૂતોનો ખર્ચ બચાવે છે તેનું ઉદાહરણ છે. કોરોના વાયરસ રોગચાળો અને રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરીને, જેના કારણે ખાતરના ક્ષેત્રમાં ભારે વિક્ષેપ પડ્યો હતો, PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન સરકારે આને દેશના ખેડૂતો પર અસર થવા દીધી નથી. ખાતરની કિંમતો વિશે વાત કરતાં PMએ માહિતી આપી હતી કે, ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત રૂ. 266 છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે રૂ. 800, બાંગ્લાદેશમાં આશરે રૂ. 720, ચીનમાં આશરે રૂ. 2100 અને અમેરિકામાં આશરે રૂ. 3,000 છે. સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે. PM મોદીએ કહ્યું હતું કે, જ્યારે કોઈ ખેડૂત યુરિયા ખરીદવા જાય છે, ત્યારે તેને વિશ્વાસ છે કે તે મોદીની ગેરંટી છે.

PMએ બાજરીને પ્રોત્સાહન આપવા અને શ્રી અન્ન તરીકે બાજરીનાં બ્રાન્ડિંગ જેવા પગલાં વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શ્રી અન્નને પ્રોત્સાહન આપવાનાં માધ્યમથી તેનું ઉત્પાદન, પ્રોસેસિંગ અને નિકાસમાં વધારો થઈ રહ્યો છે. તેમણે તેમની તાજેતરની મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસના સત્તાવાર રાત્રિભોજનમાં બાજરીની હાજરીને યાદ કરી.

PMએ કહ્યું હતું કે, ભારતનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે ભારતનાં ગામડાંઓનો વિકાસ થાય. ભારત માત્ર વિકસીત ગામો સાથે જ વિકસિત થઈ શકે છે. એટલા માટે સરકાર ગામડાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ કરી રહી છે, જે અત્યાર સુધી માત્ર શહેરોમાં જ ઉપલબ્ધ હતી. સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરીને PMએ કહ્યું હતું કે, રાજસ્થાનમાં 9 વર્ષ અગાઉ સુધી ફક્ત 10 મેડિકલ કોલેજો હતી. આજે આ સંખ્યા 35 પર પહોંચી ગઈ છે. આનાથી નજીકના વિસ્તારોમાં તબીબી સુવિધાઓમાં સુધારો થઈ રહ્યો છે અને તબીબી વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની તકો મળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આજે મેડિકલ કોલેજોનું ઉદઘાટન થઈ રહ્યું છે અને જેનો શિલાન્યાસ થઈ રહ્યો છે, તેનાથી રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં તબીબી માળખાગત સુવિધાઓમાં સુધારો થશે. તબીબી શિક્ષણને સુલભ બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે PMએ માતૃભાષામાં તબીબી શિક્ષણ પ્રદાન કરવા, તેનું વધુ લોકશાહીકરણ કરવા અને વંચિત વર્ગો માટે માર્ગો ખોલવાનાં પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે કોઈ પણ ગરીબનો પુત્ર કે પુત્રી અંગ્રેજી ન જાણતી હોવાને કારણે ડોક્ટર બનવાની તકથી વંચિત રહેશે નહીં. આ પણ મોદીની ગેરંટી છે.

PMએ કહ્યું હતું કે, દાયકાઓ સુધી ગામડાંઓમાં સારી શાળાઓ અને શિક્ષણનાં અભાવે ગામડાંઓ અને ગરીબ લોકો પણ પાછળ રહી ગયા છે. તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું કે, પછાત અને આદિવાસી સમાજનાં બાળકો પાસે તેમનાં સ્વપ્નો સાકાર કરવા માટે કોઈ સાધન નથી. PM મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, વર્તમાન સરકારે શિક્ષણ માટે બજેટ અને સંસાધનોમાં વધારો કર્યો છે તથા એકલવ્ય નિવાસી શાળાઓ ખોલી છે, જેનાથી આદિવાસી યુવાનોને મોટો લાભ થયો છે.

PMએ કહ્યું હતું કે, જ્યારે સ્વપ્નો મોટાં હોય, ત્યારે જ સફળતા મોટી થાય છે. રાજસ્થાન એક એવું રાજ્ય છે, જેની ભવ્યતા સદીઓથી દુનિયાને મંત્રમુગ્ધ કરી રહી છે તેની નોંધ લઈને PMએ રાજસ્થાનને આધુનિક વિકાસની ટોચ પર લઈ જવાની સાથે-સાથે આ દેશના વારસાને જાળવવા પર ભાર મૂક્યો હતો. એટલે જ PMએ કહ્યું હતું કે, રાજસ્થાનમાં આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવાની અમારી પ્રાથમિકતા છે. તેમણે છેલ્લા કેટલાક મહિનાઓમાં બે હાઇટેક એક્સપ્રેસવેના ઉદઘાટનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, રાજસ્થાન દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે અને અમૃતસર-જામનગર એક્સપ્રેસવેના મોટા વિભાગ મારફતે વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. તેમણે રાજ્યમાંથી ચલાવવામાં આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પણ ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ જણાવ્યું હતું કે, સરકાર માળખાગત સુવિધાઓ અને પ્રવાસનને લગતી સુવિધાઓ વિકસાવવા માટે રોકાણ કરી રહી છે, જેનાં પરિણામે રાજસ્થાનને પણ નવી તકો મળશે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે રાજસ્થાન 'પધારો મહારે દેશ' બોલાવશે ત્યારે એક્સપ્રેસવે અને વધુ સારી રેલવે સુવિધાઓ પ્રવાસીઓનું સ્વાગત કરશે. PMએ સ્વદેશ દર્શન યોજના હેઠળ ખાટુ શ્યામજી મંદિરમાં સુવિધાઓના વિસ્તરણ અંગે પણ વાત કરી હતી અને શ્રી ખાટુ શ્યામના આશીર્વાદથી રાજસ્થાનનો વિકાસ વધુ વેગ પકડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. PM મોદીએ જણાવ્યું હતું કે, આપણે સૌ સમગ્ર વિશ્વમાં રાજસ્થાનના ગૌરવ અને વારસાને નવી ઓળખ આપીશું.

PMએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કે જેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર છે અને આ કાર્યક્રમમાં આવી શક્યા નથી, તેમને સારા સ્વાસ્થ્યની કામના સાથે અંત વાત પૂરી કરી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.