રાહુલ ગાંધીને 26 દિવસમાં સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળી

સાંસદ સભ્ય પદ રદ્દ થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બીજો ઝટકો સરકારે આપ્યો છે. રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ આપી દેવામાં આવી છે. લોકસભા આવાસ સમિતિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા આપવામાં આવેલો બંગલો ખાલી કરવા માટે નોટિસ આપી છે. નોટિસ મુજબ રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં પોતાનો બંગલો ખાલી કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારના રોજ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનો લોકસભા સભ્ય પદ રદ્દ કરી દીધું હતું. રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી સાંસદ હતા. તેમને સુરતની કોર્ટે માનહાનિના કેસમાં દોષી જાહેર કરીને 2 વર્ષની સજા સંભળાવી હતી, જેને કારણે તેમનું સાંસદ પદ છીનવી લેવાયું હતું.

Dis’Qualified MP: રાહુલે ટ્વીટર પર પોતાનો બાયો બદલીને કર્યો 'ડિસ્ક્વોલિફાઈડ MP'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાંસદ પદ રદ્દ થયા બાદ પોતાના ટ્વીટર બાયોમાં ફેરફાર કર્યો છે.  રાહુલે પોતાના બાયોમાં 'ડિસ્ક્વોલિફાઈડ MP'નો ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુરતની કોર્ટે દોષી ઠેરવ્યા હતા ત્યારબાદ સાંસદ સભ્ય તરીકે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી રાહુલે આજે પોતાના બાયોમાં ડિસક્વોલિફાઇડ સાંસદ લખ્યું છે.

મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે, ગાંધી કોઈની માફી નથી માગતાઃ રાહુલ

રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ શનિવારે કોંગ્રેસ હેડઓફિસમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરી. આ દરમિયાન તેમણે BJP સરકાર પર હુમલો બોલ્યો. તેમણે મોદી અદાણીના સંબંધો પર સવાલ પૂછ્યા. તેમણે કહ્યું કે, દેશમાં લોકતંત્ર પર હુમલો થઈ રહ્યો છે. આ ઉપરાંત, તેમણે સંસદમાં પોતાની સ્પીચ હટાવવા પર પણ વાત કહી. કોંગ્રેસ નેતા રાહુલને મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા સંભાવ્યા બાદ શુક્રવારે સ્પીકર ઓમ બિરલાએ તેમનું સંસદ સભ્યપદ રદ્દ કરી દીધુ. તેમને સુરત સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યા છે. જોકે, હજુ તેમની પાસે ઉપરની કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. બીજી તરફ, રાહુલ ગાંધી વિરુદ્ધ એક એક્શન પર કોંગ્રેસ કહ્યું કે, આ ભારતીય લોકતંત્રની સ્થિતિ વિશે દુનિયાને એક ખૂબ જ ખરાબ સંકેત મોકલી રહ્યા છે.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે, મેં સંસદમાં એ સવાલ પૂછ્યો કે અદાણીજીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોણે ઇન્વેસ્ટ કર્યા. આ પૈસા અદાણીજીના નથી તો આ રકમ કોની છે. મેં સંસદમાં જણાવ્યું કે, PM મોદી અને અદાણીની વચ્ચે શું સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સના હવાલાથી મેં તેમને પુરાવા પણ આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. સંસદમાં મંત્રીઓ મારી વિરુદ્ધ ખોટું બોલ્યા. તેમણે કહ્યું- મેં વિદેશી તાકાતો પાસે મદદ માંગી છે. મેં એવી વાત નથી કહી. સંસદમાંથી મારા ભાષણોને હટાવી દેવમાં આવ્યા. તેમણે કહ્યું- હું સવાલ પૂછવાનું બંધ નહીં કરીશ. હું ડરવાનો નથી.

રાહુલ ગાંધીએ કહ્યું- મોદીજી અને અદાણીનો સંબંધ ખૂબ જ જુનો છે. જ્યારે નરેન્દ્ર મોદીજી ગુજરાતના CM બન્યા હતા, ત્યારથી સંબંધ છે. મેં વિમાનમાં બેઠેલો તેમનો ફોટો પણ બતાવ્યો છે, તેઓ પોતાના મિત્ર સાથે આરામથી બેઠા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, અદાણી પર મારા ભાષણથી વડાપ્રધાન ડરેલા છે અને તેમનો આ ડર મેં તેમની આંખોમાં જોયો છે આથી, પહેલા મુદ્દા પરથી ધ્યાન ભટકાવવામાં આવ્યું. ત્યારબાદ મને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યો.

રાહુલ ગાંધીએ કહ્યું- હું સવાલ પૂછવાનું બંધ નહીં કરીશ. અદાણીનો નરેન્દ્ર મોદીજી સાથે શો સંબંધ છે? આ હું પૂછતો રહીશ. હું હિંદુસ્તાનના લોકતંત્ર માટે લડી રહ્યો છું. હું લોકતંત્ર માટે લડતો રહીશ. હું કોઈનાથી નથી ડરતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભલે તેઓ મને સ્થાયીરૂપથી અયોગ્ય જાહેર કરી દે, હું મારું કામ કરતો રહીશ. મને તેનાથી કોઈ ફરક નથી પડતો કે હું સંસદની અંદર છું કે નહીં. હું દેશ માટે લડતો રહીશ.

રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં OBCનો મામલો નથી. આ અદાણી અને મોદીજીના સંબંધનો મામલો છે. ભારત જોડો યાત્રા દરમિયાન આપવામાં આવેલા મારા નિવેદનોને જો તમે જોશો તો મેં ક્યારેય એવી વાતો નથી કહી. મેં દરેક વર્ગને એકજૂથ થવા માટે વાત કહી. તેમણે કહ્યું- બધા એક છે, દેશમાં ભાઈચારો હોય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. તેના પર તેમણે કહ્યું- મારું સમર્થન કરવા બદલ હું તમામ વિપક્ષી દળોનો આભાર વ્યક્ત કરું છું, આપણે બધા મળીને કામ કરીશું. તેમણે માફી માગવાના સવાલ પર કહ્યું- મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે, ગાંધી કોઈની માફી નથી માંગતા.

About The Author

Related Posts

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.