Video:રાહુલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને રાહુલે ઘરે બોલાવી જાતે ખાવાનું પિરસ્યુ

દિલ્હીના આઝાદપુર માર્કેટમાં શાકભાજી વેચનાર રામેશ્વર સિંહનો વાયરલ વીડિયો જોયા બાદ રાહુલ ગાંધીએ તેમને મળવા માટે બોલાવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે તેમને મળ્યા હતા, જેનો વીડિયો તેમણે આજે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની લિંક શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે રામેશ્વર એવા ભારતનો અવાજ છે જેની પીડા, મુદ્દાઓ અને પડકારો આજે મુખ્ય પ્રવાહની ચર્ચાથી દૂર છે.

રાહુલે કહ્યું કે, એ ભારતનો અવાજ સાંભળવો અને સંઘર્ષો સાથે સામનો કરવામાં સાથ આપવોએ આપણા બધાની નૈતિક ફરજ છે. શાકભાજીવાળા રામેશ્વર સિંહે આ મુલાકાતને કૃષ્ણ અને સુદામા મુલાકાત તરીકે બતાવી હતી.

શાકભાજી વેચનારા રામેશ્વર સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી. મુલાકાત વખતે રામેશ્વરે કહ્યુ હતું કે મારું મન ઉછળી ઉછળીને વારંવાર કહેતુ હતું કે એક વખત ચોક્કસ સર સાથે મુલાકાત થશે. એના પર રાહુલ ગાંધીએ તેમને ટોકીને કહ્યું કે, મને તમે સર કહીને શું કામ સંબોધન કરો છો? મારું નામ રાહુલ છે અને તમે મને રાહુલ કહીને બોલાવી શકો છો. એ પછી રામેશ્વરે સિંહે કહ્યું કે હું ઘણી મહેનત કરું છું, પરંતુ મને જોઇએ તેટલું મહેનતનું ફળ મળતું નથી. રાહુલે કહ્યું કે, હા, તમે ઘણી મહેનત કરો છો.

એ પછી રામેશ્વર સિંહે કહ્યુ કે, સરકાર જ એવી છે કે કોઇ સાંભળનારુ જ નથી. તમે મારી વાત સાંભળી એટલે હું આવ્યો છું.રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં રામેશ્વર સિંહે એમ પણ કહ્યુ કે, જે લોકો ગરીબ છે તે વધુ ગરીબ થઇ રહ્યા છે અને જે અમીર છે તે વધુ અમીર બનતા જાય છે.વીડિયોમાં જોઇ શકાય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શાકભાજીવાળાને પોતાના હાથે ખાવાનું પીરસી રહ્યા છે. રાહુલ ગાંધીએ એ દરમિયાન રામેશ્વરની પત્નીને પણ જમવા માટે પુછ્યું હતું, પરંતુ તેણીનો ઉપવાસ હતો એટલે રાહુલે તેમને ફળ આપ્યા હતા.

રામેશ્વરજીની કહાનીની શરૂઆત એક ન્યૂઝ મીડિયા હાઉસના રિપોર્ટથી થી હતી, તેમના દુખને આખા દેશે જોયું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ ન્યૂઝ મીડિયા હાઉસ ફરી રામેશ્વરજી પાસે પહોંચ્યું હતું અને તેમની સાથે વાત કરી હતી, ત્યારે ઈન્ટરવ્યૂમાં રામેશ્વરજીએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શું રાહુલ સર સાથે વાત થઈ શકે છે. હું તેમને વારંવાર આભાર કહેવા માગુ છું. હું તેમને મળવા માગું છું. જો રાહુલજી મારા જેવા નાના માણસને મળે તો આ મારું સૌભાગ્ય હશે.

રાહુલ ગાંધી સાથે વાતચીત દરમિયાન રામેશ્વરસિંહે પોતાની ગરીબી અને જીવનશૈલી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ જ્યારે શહેર આવ્યા હતા, ત્યારે એ વિચારીને આવ્યા હતા કે અહિયા શાંતિ હશે. પરંતુ દિલ્હી આને તેમનું જીવન વધુ મુશ્કેલ થઈ ગયું. તેમણે કહ્યું કે, બે સમય ખાવા માટે પૂરી મહેનત કરે છે. ક્યારેક ક્યારેક બંને સમયનું જમવાનું મળી જાય છે, પરંતુ ક્યારેક નથી મળતું, ત્યારે પાણી પી લઉં છું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.