મોદી સરનેમ કેસ મામલે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

મોદી સરનેમના કેસને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચી ગયા છે. રાહુલ ગાંધીએ તેમને મળેલી 2 વર્ષની સજા પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતની કોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટે પણ 7 જુલાઈના રોજ રાહુલ ગાંધીની 2 વર્ષની સજાને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.

પૂર્ણેશ મોદીએ સુપ્રીમમાં કેવિયટ દાખલ કરી, જાણો એનો મતલબ શું થાય?

રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરનાર ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયટ દાખલ કરી છે. તેમણે પોતાનો પક્ષ સાંભળવા માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. રાહુલના કેસનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધો છે. પૂર્ણેશ મોદીની ફરિયાદ પર નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે ચાર વર્ષ પછી, 23 માર્ચ, 2023 ના રોજ, ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને કલમ 504 હેઠળમાનહાનિ માટે દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. એ પછી બીજા જ દિવસે રાહુલ ગાંધીનું સંસદ પદ છીનવાઇ ગયું હતું.

નીચલી અદાલતના ચુકાદા પછી રાહુલ ગાંધીને સેશન કોર્ટમા પણ રાહત ન  મળી હતી એ પછી રાહુલ ગાંધીએ હાઇકોર્ટનો રૂખ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટે પણ રાહુલની અરજી ફગાવીને મોટો ઝટકો આપ્યો હતો.

જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચે અરજી કરતી વખતે કહ્યું હતું કે રાહુલ ગાંધી કોઈપણ આધાર વિના રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે નીચલી અદાલતની સજા પર સ્ટે મૂકવો એ નિયમ નથી, પરંતુ અપવાદ છે અને તે માત્ર દુર્લભ કિસ્સાઓમાં જ થવો જોઈએ. બેંચે રાહુલ ગાંધી સામે ચાલી રહેલા 10 અપરાધિક કેસોનો પણ ઉલ્લેખ કર્યો.

હવે વાત કરીએ કે પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમા જે કેવિયટ દાખલ કરી છે તેનો મતલબ શું થાય?

વાદી દ્વારા એક કેવિયટ અરજી દાખલ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કે તેની સામે કોઈ પ્રતિકૂળ હુકમ સાંભળ્યા વિના પસાર ન થાય. ઘણી વખત કેસમાં પ્રતિવાદીને માહિતી મળતી નથી અને કોર્ટ ઉપલબ્ધ તથ્યોના આધારે એકતરફી ચુકાદો આપે છે. આ સ્થિતિને ટાળવા માટે કેવિએટની વ્યવસ્થા લાવવામાં આવી છે.  આમાં, પ્રતિવાદી પહેલેથી જ કોર્ટમાં અપીલ કરીને જાણ કરે છે કે આ કેસમાં તેમની પણ સુનાવણી થવી જોઈએ.

વર્ષ 2019માં કર્ણાટકની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેવી રીતે બધા ચોરોની અટક મોદી હોય છે? આ નિવેદનને આધારે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની ટીપ્પણીથી આખા મોદી સમાજની બદનામી થઇ છે. રાહુલની સામે IPCની કલમ 499 અને 500 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.