મોદી સરનેમ કેસ મામલે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

મોદી સરનેમના કેસને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચી ગયા છે. રાહુલ ગાંધીએ તેમને મળેલી 2 વર્ષની સજા પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતની કોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટે પણ 7 જુલાઈના રોજ રાહુલ ગાંધીની 2 વર્ષની સજાને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.

પૂર્ણેશ મોદીએ સુપ્રીમમાં કેવિયટ દાખલ કરી, જાણો એનો મતલબ શું થાય?

રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરનાર ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયટ દાખલ કરી છે. તેમણે પોતાનો પક્ષ સાંભળવા માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. રાહુલના કેસનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધો છે. પૂર્ણેશ મોદીની ફરિયાદ પર નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે ચાર વર્ષ પછી, 23 માર્ચ, 2023 ના રોજ, ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને કલમ 504 હેઠળમાનહાનિ માટે દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. એ પછી બીજા જ દિવસે રાહુલ ગાંધીનું સંસદ પદ છીનવાઇ ગયું હતું.

નીચલી અદાલતના ચુકાદા પછી રાહુલ ગાંધીને સેશન કોર્ટમા પણ રાહત ન  મળી હતી એ પછી રાહુલ ગાંધીએ હાઇકોર્ટનો રૂખ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટે પણ રાહુલની અરજી ફગાવીને મોટો ઝટકો આપ્યો હતો.

જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચે અરજી કરતી વખતે કહ્યું હતું કે રાહુલ ગાંધી કોઈપણ આધાર વિના રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે નીચલી અદાલતની સજા પર સ્ટે મૂકવો એ નિયમ નથી, પરંતુ અપવાદ છે અને તે માત્ર દુર્લભ કિસ્સાઓમાં જ થવો જોઈએ. બેંચે રાહુલ ગાંધી સામે ચાલી રહેલા 10 અપરાધિક કેસોનો પણ ઉલ્લેખ કર્યો.

હવે વાત કરીએ કે પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમા જે કેવિયટ દાખલ કરી છે તેનો મતલબ શું થાય?

વાદી દ્વારા એક કેવિયટ અરજી દાખલ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કે તેની સામે કોઈ પ્રતિકૂળ હુકમ સાંભળ્યા વિના પસાર ન થાય. ઘણી વખત કેસમાં પ્રતિવાદીને માહિતી મળતી નથી અને કોર્ટ ઉપલબ્ધ તથ્યોના આધારે એકતરફી ચુકાદો આપે છે. આ સ્થિતિને ટાળવા માટે કેવિએટની વ્યવસ્થા લાવવામાં આવી છે.  આમાં, પ્રતિવાદી પહેલેથી જ કોર્ટમાં અપીલ કરીને જાણ કરે છે કે આ કેસમાં તેમની પણ સુનાવણી થવી જોઈએ.

વર્ષ 2019માં કર્ણાટકની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેવી રીતે બધા ચોરોની અટક મોદી હોય છે? આ નિવેદનને આધારે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની ટીપ્પણીથી આખા મોદી સમાજની બદનામી થઇ છે. રાહુલની સામે IPCની કલમ 499 અને 500 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.