રેલમંત્રીની જાહેરાત, રેલવેમાં થશે 4 લાખ ભરતી, 2 મહિનામાં પૂરી થશે પ્રોસેસ

ઇન્ડિયન રેલવેમાં કામ કરવા માંગતા લોકો માટે મોટા આનંદના સમાચાર આવ્યા છે. રેલવેમાં ટૂંક સમયમાં 4 લાખ નવી નોકરીઓ માટે ભરતી ચાલુ થવાની છે. આ નોકરીઓ માટેની પ્રોસેસ 2 મહિનામાં પૂરી થઇ જશે, તેવું રેલમંત્રી પિયૂષ ગોયલનું કહેવું છે. તેમનું કહેવું છે કે, રેલવેમાં હાલમાં 1.32 લાખ લોકોની જરૂરિયાત છે. તેમણે પ્રેસ કોન્ફરન્સના મારફતે આ માહિતી આપી હતી.

પિયૂષ ગોયલે કહ્યું હતું કે, 1.5 લાખ લોકોને ઇન્ડિયન રેલવે ટૂંક સમયમાં નિયુક્ત કરવા જઇ રહી છે. આગામી બે મહિનામાં રેલવેના વિવિધ ઝોનમાં નિયુક્તિ શરૂ કરવામાં આવશે. આ સાથે જ આગામી 2 વર્ષમાં લગભગ એક લાખ લોકો રેલવેથી રિટાયર થઇ જવાના છે. એટલે 2.50 લાખ વિવિધ પદ માટે નિયુક્તિ કરવાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ હિસાબથી લગભગ 4 લાખ લોકોને રેલવે પોતાની તરફથી નોકરી પર રાખશે.

About The Author

Related Posts

Top News

મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન કેમ ઘેર્યું? જાણો શું છે આખો મામલો

મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ડૉ.સ્મિત પરમારના પત્ની ડૉ.ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો ઘરમાંથી અપહરણ કર્યાંના...
Gujarat 
મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન કેમ ઘેર્યું? જાણો શું છે આખો મામલો

વધુ એક પેપર લીક થયું, 'ગેસ પેપર'ના 70% પ્રશ્નો અસલી પરીક્ષા સાથે મેચ, પરીક્ષા રદ્દ

હવે, છત્તીસગઢમાં કીટવિજ્ઞાન પરીક્ષા પેપર લીકનું ભૂત ધૂણ્યું છે. ગુરુવાર, 20 ઓગસ્ટના રોજ, ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટીમાં...
National 
વધુ એક પેપર લીક થયું, 'ગેસ પેપર'ના 70% પ્રશ્નો અસલી પરીક્ષા સાથે મેચ, પરીક્ષા રદ્દ

24 ઓગસ્ટથી સિમ કાર્ડ માટે નવા નિયમો લાગૂ થવાના છે, આવા સિમ બંધ થઈ જશે

સરકાર ભારતમાં એક વ્યક્તિ કેટલા મોબાઇલ કનેક્શન રાખી શકે તેની મર્યાદાને કડક રીતે લાગૂ કરવા જઇ રહી છે. 24 ઓગસ્ટથી...
Business 
24 ઓગસ્ટથી સિમ કાર્ડ માટે નવા નિયમો લાગૂ થવાના છે, આવા સિમ બંધ થઈ જશે

હવામાન વિભાગના મતે 3 સિસ્ટમો એકસાથે સક્રિય થઈ, અંબાલાલ પટેલ જાણો શું કહે છે

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અંગેનું નવું અને મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રાજ્યના સૌથી મોટા અને ધમધમતા શહેરમાં આગામી...
Gujarat 
હવામાન વિભાગના મતે 3 સિસ્ટમો એકસાથે સક્રિય થઈ, અંબાલાલ પટેલ જાણો શું કહે છે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.