સિક્કિમ CM: પાછલી સરકારે કરાવેલા ડેમના વાહિયાત નિર્માણને કારણે આપદા આવી

On

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા ભયાવહ પૂરમાં ચુંગથાંગ ડેમના તૂટવા પાછળ રાજ્યની પાછલી સરકાર જવાબદાર છે. આવું સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગનું કહેવું છે. તેમણે કહ્યું કે, ચુંગથાંગ ડેમ તૂટવાનું કારણ પાછલી રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવેલું ઘટિયા નિર્માણ છે. તીસ્તા નદીમાં પૂર આવવાને કારણે 1200 મેગાવોટનો હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વહી ગયો છે. સિક્કિમના મુખ્યમંત્રીએ આ વિપદા માટે પૂર્વ CM પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ સરકારને જવાબદાર ગણાવી છે. જણાવીએ કે, પવન ચામલિંગ સિક્કિમમાં 24 વર્ષોથી વધારે સમય માટે સત્તામાં રહ્યા હતા.

સીએમ પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે, ચુંગથાંગ ડેમ સંપૂર્ણ રીતે વહી ગયો છે. આ કારણે રાજ્યના નીચલા બેલ્ટમાં વિપદા આવી છે. જણાવીએ કે, મંગળવારે રાતે સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી ભયંકર વિનાશ થયો છે. આ વિપદામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. જેમાં ઘણાં સૈન્ય જવાનો સામેલ છે. તો 16 જવાનો સહિત 103 લોકો ગુમ છે. દેશભરમાંથી આવેલા 3000થી વધારે પર્યટકો સિક્કિમમાં ફસાયા છે. અત્યાર સુધીમાં 2500 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને 6000 લોકોને રાહત શિવિરમાં મોકલી દેવામાં આવ્યા છે.

મંગળવારે રાતે વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી ભયંકર વિનાશ થયો. લોકોના મનમાં એ સવાલ ઊભો થઇ રહ્યો છે કે આખરે, આ વિનાશકારી પૂરનું કારણ શું હતું. આનું સૌથી મોટું કારણ સિક્કિમમાં વધારે માત્રામાં વરસાદ પડવાનું છે. આ ઉપરાંત ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લટને કારણે અચાનક તીસ્તા નદીમાં પાણીની જળસપાટી વધી ગઇ અને નદીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું. આ વિનાશકારી પૂરમાં સિક્કિમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે બર્બાદ થયું છે. નેશનલ હાઈવે 10 પણ ક્ષતિગ્રસ્ત થયો છે. સિક્કિમના મંગન, ગેંગટોક, પાકયોંગ, નામચી જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે.

સિક્કિમના ઉપરી વિસ્તારોમાં એક ગ્લેશિયલ તળાવ ફાટવાથી અચાનક પૂર આવી ગયું અને અન્યમાં વિસ્ફોટ થયો. જેને કારણે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને બુધવારે તીસ્તા નદીના જળસ્તરમાં ભારે વધારો થયો. જેને લીધે સિક્કિમમાં મોટા સ્તરે વિનાશ થયો છે.

Related Posts

Top News

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati