DyCMનું પદ હટાવવા કોર્ટમાં અરજી થઈ, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

On

સુપ્રીમ કોર્ટે રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રીની વરણી કરવાની પ્રક્રિયા આપનારી જનહિતની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રીનું પદનામ સંવિધાનના કોઈ પણ પ્રાવધાનનું ઉલ્લંઘન કરતું નથી. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રીની વરણી, ઘણા રાજ્યોમાં પાર્ટી કે સત્તામાં પાર્ટીઓના ગઠબંધનમાં વરિષ્ઠ નેતાઓને થોડું વધુ મહત્ત્વ આપવાની પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. એ સંવૈધાનિક નથી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી સંવિધાન હેઠળ માત્ર મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી મંત્રી પરિષદના સભ્યો છે અને તેનાથી વધુ કઇ નથી.

બેન્ચે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રીની વરણી સંવિધાનના કોઈ પણ પ્રાવધાનનું ઉલ્લંઘન કરતી નથી. આ આધાર પર અરજીને ફગાવી દેવામાં આવે છે. જનહિતની અરજી (PIL)માં કહેવામાં આવ્યું હતું કે સંવિધાનમાં પ્રાવધાન ન હોવા છતાં વિભિન્ન રાજ્ય સરકારોએ નાયબ મુખ્યમંત્રીઓની વરણી કરી છે. સંવિધાનના અનુચ્છેદ 164માં માત્ર મુખ્યમંત્રીઓની વરણીનું પ્રાવધાન છે. દેશભરના 14 રાજ્યોમાં આ સમયે 26 નાયબ મુખ્યમંત્રી છે. વકીલ મોહનલાલ શર્મા દ્વારા જનહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાયબ મુખ્યમંત્રીની વરણીનું રાજ્યના નાગરિકો સાથે કોઈ લેવું-દેવું નથી. ન તો કથિત નાયબ મુખ્યમંત્રીઓની વરણી થવા પર રાજ્યની જનતાનું કોઈ અતિરિક્ત કલ્યાણ થાય છે.

અરજીમાં શું કહેવામાં આવ્યું છે?

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રીની વરણથી જનતામાં મોટા પ્રમાણમાં ભ્રમ ઉત્પન્ન થાય છે. સાથે જ રાજકીય પાર્ટીઓ દ્વારા કાલ્પનિક પોર્ટફોલિયો બનાવીને ખોટા અને ગેરકાયદેસર ઉદાહરણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. કેમ કે નાયબ મુખ્યમંત્રીઓ બાબતે કોઈ પણ સ્વતબત્ર નિર્ણય નહીં લઈ શકે. જ્યારે તેમને મુખ્યમંત્રીઓ બરાબર દેખાડવામાં આવે છે. જો કે, સુપ્રીમ કોર્ટે તેને સાંભળ્યા બાદ અરજી ફગાવી દીધી.

Related Posts

Top News

દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

ઉત્તર સમુદ્રમાં 2 જહાજો અથડાઇ ગયા છે. ત્યારબાદ તેલ ભરેલા જહાજમાં આગ લાગી ગઇ અને ટેન્કરો સળગવા લાગ્યા. એક જહાજ...
World 
દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં છેતરપિંડી કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ બ્લૂટૂથનો ઉપયોગ કરીને છેતરપિંડી...
Education 
4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હવે તેની સૌથી સસ્તી હેચબેક...
Tech & Auto 
ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

સુરત એવું શહેર રહ્યું છે કે જ્યાં શાંતિપ્રિય વેપારી લોકો રહેતા હતા જેઓ આજે મૂળ સુરતી લોકો તરીકે ઓળખાય છે....
Politics 
સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.