મુંબઈના અસ્તિત્વ સામે ખતરો, યુનાઇટેડ નેશન્સે આપી ચેતવણી

On

UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મંગળવારે આપી કે જો આબોહવાનું સંકટ ચમત્કારિક રીતે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરી લેવામાં પણ આવે તો પણ સમુદ્રનું સ્તર નોંધપાત્ર રીતે વધશે, અને આ બાંગ્લાદેશ, ચીન અને ભારત જેવા દેશો માટે ખતરો છે.

ગુટેરેસે કહ્યું કે વિશ્વ વર્તમાન નીતિઓને કારણે તાપમાનમાં 2.8 ડિગ્રી સેલ્સિયસના વધારા તરફ આગળ વધી રહ્યું છે, જે એ દેશો માટે મૃત્યુની સજા જેવું છે, જેના પર વધુ જોખમ છે.

ગુટેરેસે જણાવ્યું કે પૃથ્વીના જળવાયું સંકટ એવા રાસ્તા પર આગળ વધવાની સંભાવના છે, જ્યાં સમુદ્રના સ્તરમાં વધારો થવાનો અર્થ છે કે ઘણા દેશો સામે અસ્તિત્વનું સંકટ ઉભું થશે. UNના વડાએ જણાવ્યું કે ડિગ્રીના દરેક અપૂર્ણાંક મહત્ત્વ ધરાવે છે, કારણ કે જો તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ વધે તો સમુદ્રનું સ્તર બમણું થઈ શકે છે.

UN સુરક્ષા પરિષદની બેઠકના પ્રારંભમાં દરિયાઈ સપાટીના વધારા પર બોલતા, તેમણે કહ્યું કે કાઉન્સિલની ભૂમિકા આબોહવા પરિવર્તન સામે લડવા માટે જરૂરી પગલાં માટે સમર્થન તૈયાર કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. આ બેઠકમાં 75 દેશોએ ભાગ લીધો. ગુટેરેસે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં બાંગ્લાદેશ, ચીન, ભારત અને નેધરલેન્ડ જેવા દેશો જોખમમાં છે.

આ ઉપરાંત, કૈરો, લાગોસ, માપુટો, બેંગકોક, ઢાકા, જકાર્તા, મુંબઈ, શાંઘાઈ, કોપનહેગન, લંડન, લોસ એન્જલસ, ન્યુયોર્ક, બ્યુનોસ આયર્સ અને સેન્ટિયાગો સહિત દરેક ખંડના મુખ્ય શહેરો આનાથી ગંભીર રીતે પ્રભાવિત થશે. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (ડબ્લ્યુએમઓ) એ મંગળવારે ગુટેરેસના ડેટાને ટાંકીને અહેવાલ આપ્યો, જેમાં જણાવ્યું હતું કે જો તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરી દેવામાં આવે છે તો વૈશ્વિક સરેરાશ દરિયાની સપાટી આગામી 2,000 વર્ષોમાં લગભગ બે મીટરથી ત્રણ મીટર (લગભગ 6.5 થી 9.8 ફૂટ) સુધી વધુ જશે. ડબલ્યુએમઓ અનુસાર, તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવા પર દરિયાની સપાટી છ મીટર (19.7 ફૂટ) સુધી વધી શકે છે અને પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવા પર 22 મીટર (72 ફૂટ) સુધી વધી શકે છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.