ખેતરે પાણી વાળવા ગયેલા અરવલ્લીના ખેડૂતનું ઠંડીથી ઠુંઠવાઇને મોત

દર વખતની સરખામણી આ વખતની શિયાળાની સિઝનમાં ઠંડીનું જોર આખા ગુજરાતમાં રહ્યું હતું અને ઠંડીને કારણે લોકો ઠુઠવાઇ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં ઠંડીને કારણે બીજું મોત થયું હોવાની વાત સામે આવી છે. થોડા સમય પહેલાં રાજકોટમાં એક ખેડૂતનું ઠંડીને કારણે મોત થયું હતું તો હવે અરવલ્લીમાં એક ખેડૂત પણ ભારે ઠંડીને કારણે મોતને ભેટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અરવલ્લીના મોડાસામાં આવેલા ટીંટોઇ ગામથી એક કમનસીબ ઘટના સામે આવી છે. ખેતરમાં મોડી રાત્રે પાણી વાળવા ગયેલા ખેડૂતનું ઠંડીથી ઠુંઠવાઇ જવાના કારણે મોત થયું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. પરિવારજનોએ આડકતરી રીતે સરકાર પર આરોપ લગાવ્યો છે, ખેતરમાં રાત્રે વીજળી મળવાને કારણે પાણી વાળવા કડકડતી ઠંડીમાં જવું પડે છે જેને કારણે ભારે મુશ્કેલી થઇ રહી છે. આ પહેલાં રાજકોટમાં પણ ઠંડીને કારણે હાર્ટ એટેકથી એક ખેડૂતનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.

અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા ટીંટોઈ ગામના 57 વર્ષના ખેડૂત લવજીભાઈ વીરસંગભાઈનું ઠંડીમાં ઠુંઠવાઈને મોત થયું હોવાની વિગતો મળી રહી છે. લવજીભાઇના પરિવારોએ કહ્યું હતું કે, રાત્રે ખેતરમાં પાણી વાળવાનું હોવાથી લવજીભાઇ ખેતરમાં ગયા હતા અને સવાર સુધી પાછા નહોતા ફર્યા એટલે તપાસ કરી તો તેમનો મૃતદેહ ખેતરમાં પડેલો મળ્યો હતો. અરવલ્લીમાં ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી ઠંડીમાં ઠુઠવાઇ જવાને કારણે પડી જતા તેમનું મોત થયું છે. અરવલ્લીમાં અત્યારે ખેડૂતો ઘઉંનો પાક લઇ રહ્યા છે એટલે લવજીભાઇ પણ ઘઉંના પાકમાં પાણી વાળવા ખેતર ગયા હતા.

આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર ખાસ્સું વધારે રહ્યું છે અને ગામડાઓમાં ખુલ્લી જગ્યા અને વૃક્ષોને કારણે ઠંડીનો અનુભવ વધારે થતો હોય છે. ઉત્તર ગુજરાતના પાટણમાં ઠંડીનો પારો 8 ડીગ્રી જેટલો હતો.

ભારતમાં તો  ઠંડીને કારણે મોત થયા હોવાના ખાસ કિસ્સા બનતા નથી, પરંતુ અફઘાનિસ્તાનમાં તો ઠંડીને કારણે મોટી સંખ્યામાં મોત થયા છે.અફઘાનિસ્તાનમાં થીજી ગયેલી ઠંડીમાં ઓછામાં ઓછા 157 લોકોના મોત થયા છે અને ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં સત્તાવાળાઓએ શ્વાસ સંબંધી બિમારીના વધતા જતા કેસને જોતા પાંચ દિવસનું લોકડાઉન લગાવી દીધું છે.

CNNના અહેવાલ મુજબ, ઠંડીને કારણે માત્ર માણસો જ નથી મરી રહ્યા, પરંતુ અત્યાર સુધીમાં 77,000 પશુઓ પણ મોતને ભેટ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.