અંબાજી મોહનથાળ-ચીકી વિવાદમાં નીતિન પટેલની એન્ટ્રી, જાણો શું કહ્યું

 છેલ્લાં 10 દિવસથી મા અંબાના અંબાજી મંદિરમાં પ્રસાદને લઇને શરૂ થયેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લેતો. ગુજરાત સરકારે અંબાજી ટ્રસ્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યાના એક દિવસ પછી  રાજ્યના પૂર્વ નાયબ મંત્રી અને ભાજપના કદાવર નેતા નિતિન પટેલે પણ આ વિવાદમાં ઝુકાવ્યું છે અને તેમના એક નિવેદનને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. નિતિન પટેલની એન્ટ્રી પછી શું અંબાજીમાં ફરી પ્રસાદ  તરીકે મોહનથાળ મળતો થશે?  નિતિન પટેલે શાતં થઇ ગયેલા મુદ્દાને ફરી ગરમ કરી દીધો છે.

અંબાજી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો, પરંતુ સંચાલકોએ મોહનથાળને બદલે ચીકીને પ્રસાદ તરીકે આપવાનું શરૂ કરતા ભારે વિવાદ ઉભો થયો હતો. એ પછી શનિવારે ગુજરાત સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે સ્પષ્ટ કહ્યુ હતું કે, અંબાજી મંદિરમાં ચીકી જ પ્રસાદ તરીકે અપાશે, મોહનથાળ નહીં. હવે જયારે સરકારના પ્રવકતાએ નિવેદન આપી દીધું છે એ પછી નિતિન પટેલે એમ કહ્યુ કે, આ મામલો  શ્રધ્ધાળુઓ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેનો છે, પરંતુ મને આશા છે કે સરકાર કોઇ યોગ્ય સમાધાન કાઢશે. નિતિન પટેલના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. સરકારે તો જાહેર કરી દીધું છે, પછી નિતિન પટેલ સમાધાનની વાત કેમ કરી રહ્યા છે?

નિતિન પટેલના આ નિવેદનને કારણે ભાજપના કેટલાંક નેતાઓમાં ખુશી જોવા મળી છે, કારણકે તેઓનું માનવું છે કે અંબાજી મંદિરના પ્રસાદ વિવાદને કારણે ભાજપને  નુકશાન થઇ રહ્યું છે. ભાજપના નેતાઓ જાણે છે કે ભલે નિતિન પટેલ અત્યારે સરકારનો હિસ્સો નથી, પરંતુ તેમનું કદ આજે પણ ઉંચુ છે. એટલે લોકો પણ એવું માની રહ્યા છે કે શું અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી મળતો થશે?

બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં 1લી માર્ચથી પ્રસાદ તરીકે મોહનથાળને બદલે ચીકીનું વિતરણ શરૂ થયું હતું જેનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે પણ આ વિવાદમાં ઝુકાવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદે પણ ટ્રસ્ટના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. વિશ્વ હિંદુ પરિષદે તો 13 માર્ચે 3 હજાર મંદિરોમાં મોહનથાળ વિતરણ કરવાની જાહેરાત કરી છે અને સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું છે.

સરકારની જાહેરાત પછી નિતિન પટેલના નિવેદન પછી સરકાર પોતાના નિર્ણયથી પીછેહઠ કરે છે કે નિર્ણય યથાવત રાખે છે તે આગામી દિવસોમાં ખબર પડશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.