મને જવાબ આપો, આપણા લોકોને મારનાર પાકિસ્તાન સાથે ક્રિક્રેટ કેમ? ઔવેસીનો PMને સવાલ

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન આપણા લોકોને મારી રહ્યું છે અને આપણે તેમની સાથે ક્રિકેટ રમીએ છીએ. તેમણે મોદી સરકારની કાશ્મીર નીતિને નિષ્ફળ ગણાવી છે. PM મોદીને પણ સવાલ કર્યો કે તેઓ ચૂપ કેમ છે?

ઔવેસીએ પાકિસ્તાન સાથે ક્રિક્રેટ રમવા પર નારાજગી બતાવીને સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના સૈનિકો પાસેથી તેમના જીવનો ખેલ ખેલાઇ રહ્યો છે અને બીજી તરફ ભારતીય ટીમ પાકિસ્તાન સાથે ક્રિક્ટે રમી રહી છે. પાકિસ્તાન આપણા જ લોકોની જાન લઇ રહ્યું છે. ગોળીઓથી કાશ્મીર પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પહેલાં આ ખેલને ખતમ કરવાની જરૂર છે.

ઔવેસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ કર્યો કે તેઓ આ બાબતે મૌન સેવીને કેમ બેઠા છે? ઔવેસીએ સરકારની કાશ્મીર પોલીસીને નિષ્ફળ બતાવી છે.

જમ્મૂ-કાશ્મીરમાં થઇ રહેલા આતંકવાદી હુમલા પર ઔવેસીએ તેમની પ્રતિક્રિયા આપી છે. તેમણે એ સાથે સરકાર નિશાન સાધીને કહ્યું છે કે અનંતનાગ, રાજીરોમાં આપણા જવાનોની જિંદગીઓ સાથે ખેલ ખેલાઇ રહ્યો છે અને સરકાર તેની પર ખામોશ છે.

ઔવેસીએ કહ્યું કે ક્રિક્રેટ મેચ પહેલા આ આતંકવાદીઓનો ખેલને ખતમ કરવાની પહેલી જરૂરિયાત છે. ઔવેસીએ ભાજપને સવાલ કર્યો હતો કે જો તમે સત્તામાં ન હોતે તો તમે આ વિશે શું બોલતે?  તમે અત્યારે સત્તામાં છો તો  પહેલાં આ ગોળીઓનો ખેલ ખતમ કરો.

ઔવેસીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ પુછવામા માંગુ છું કે જ્યારે દેશમાં પુલવામાની ઘટના બની હતી ત્યારે તેમણે પાકિસ્તાન પર પોતાનો ગુસ્સો બતાવ્યો હતો. તો હવે જ્યારે કર્નલ,  ડેપ્યુટી SP જેવા વીર જવાનો શહીદ થયા છે ત્યારે તમે તમારો ગુસ્સો કેમ બતાવતા નથી?  PM મોદી ચૂપ કેમ થઇ ગયા છે.

ભારત-પાકિસ્તાન મેચનો ઉલ્લેખ કરીને ઔવેસીએ કહ્યુ કે સરકારે કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવીને બધું હાંસલ કરી દીદું છે. પરંતુ ભાજપની કાશ્મીર પોલીસી નિષ્ફળ ગઇ છે.પાકિસ્તાનના આતંકવાદીઓ આપણે ત્યાં ગોળીઓનો વરસાદ કરી રહ્યા છે. ઔવેસીએ સવાલ કર્યો કે આમ છતા શું ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં પાકિસ્તાનની સાથે ક્રિક્રેટ રમશો? દેશની પ્રજાના આ સવાલનો ભાજપે જવાબ આપવો જોઇએ. આગામી 14 ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડકપની મેચ રમાવવાની છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.