ગુજરાતના ભાજપના ધારાસભ્યએ જ કહ્યું મારા જીવને જોખમ, માફિયાઓ મારી શકે છે

ઉના વિધાનસભા બેઠકના બીજેપી ધારાસભ્ય કેસી રાઠોડે દાવો કર્યો છે કે ગુજરાતમાં બુટલેગરો અને જમીન માફિયાઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ભાજપના ધારાસભ્યએ જીવનું જોખમ હોવાની વાત તેમણે એક સમૂહ લગ્નોત્સવમાં પણ કરી હતી.

ભાજપના ધારાસભ્ય કે.સી. રાઠોડે કહ્યું, 'હું આ ધમકીથી ડરી ગયો છું, કારણ કે બે વર્ષ પહેલા મારા પર હુમલો થયો હતો અને મને ઈજાઓ થઈ હતી. હવે સરકારે મારી સુરક્ષા માટે બે SRP જવાન આપ્યા છે, પરંતુ જો કોઈ મને ગોળી મારવા માંગે તો તે કરશે, કારણ કે ગુનેગારો ગુના કરતા ડરતા નથી.

તેમણે કહ્યું કે તેમને આશંકા છે કે  બુટલેગરો અથવા તેમના વિસ્તારના કે અન્ય ભૂમિ માફિયાઓ, જેમની વિરુદ્ધ તેમણે અવાજ ઉઠાવ્યો છે તેમને શૂટર્સ અથવા ગુંડાઓ દ્વારા મારવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે સ્થાનિક કે અન્ય ગુજરાત બહારના પણ હુમલો કરી શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે પણ તેમને પોતાના જીવને ખતરો હોવાનું મહેસુસ થયું છે ત્યારે તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી છે. રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું કે બે બુટલેગરોરો સામે ફરિયાદો છે અને ભૂતકાળમાં તેમના પર હુમલો કરવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, પોતાના હિત માટે આવા કૃત્ય કરવામાં આવતી હોય છે. ભૂમિફાઈયાઓની પાછળ રાજકિય હાથ હોય છે. નુકશાન કરવા માટે આ કૃત્ય કરી શકે છે. પડદા પાછળ રાજકિય લોકો આવું કરી શકે છે. આ બાબતે ચોક્કસ કહેવું શક્ય નથી. તમારી પાસે સુરક્ષા જવાનો હોવા છતાં પણ દેશમાં હુમલાની ઘટનાઓ બની જ છે. અગાઉ મારી એકલતાનો લાભ લઈને ફાયરીંગ અગાઉ થયું હતું. આવનાર દિવસે કન્ફર્મ કરી પોલીસને જાણ કરીશું.

ભાજપના ધારાસભ્ય કે.સી. રાઠોડે દાવો કર્યો છે કે તેમના જીવને જોખમ છે. ધારાસભ્યએ કહ્યું કે તેમની પર અગાઉ હુમલો થઈ ચૂક્યો છે. તેમને ડર છે કે તેમના પર જીવલેણ હુમલો થઈ શકે છે. રાઠોડે ઉના મતવિસ્તારમાંથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 40,000 મતોના માર્જિનથી જીત મેળવી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.