કોંગ્રેસે ગુજરાતના વધુ 6 નેતાને સસ્પેન્ડ કરી દીધા, આ છે કારણ

ગુજરાત ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કોંગ્રેસે પ્રગતિ આહીર સહીત તેના વધુ છ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં પાર્ટીના સારા એવા હોદ્દા પર રહેનાર નેતાઓ સસ્પેન્ડ થયા છે. જેમાં મહિલા પદાધિકારીને પણ સસ્પેન્ડ કરાયાની ચર્ચા છે.

ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 સભ્યોની વિધાનસભામાં રેકોર્ડ 156 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. ત્યારે કોંગ્રેસમાં જ રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ કોંગ્રેસની શિસ્ત સમિતી દ્વારા કાર્યવાહી મોટાનેતાઓ સમક્ષ કરવામાં આવી હતી ત્યારે વધુ છ સભ્યોને બોલાવવામાં આવ્યા બાદ તેમને સાંભળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ વધુ છ સભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં પાર્ટીના જૂનાગઢ યુનિટના પ્રમુખ અને એક મહિલા પદાધિકારીનો સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ સેવાદળના મહિલા મુખ્ય સંગઠક પ્રગતિ આહિર અને જૂનાગઢ શહેર એકમના પ્રમુખ અમિત ઠુમ્મરને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા લોકોમાં સામેલ છે. આ મામલે કોંગ્રેસ હાઈકમાન્ડે એક કમિટી રચી હતી અને તેના દ્વારા શિસ્ત સમિતીએ રીપોર્ટના આધારે કાર્યવાહી કરી છે.

ગયા અઠવાડિયે, કોંગ્રેસના ગુજરાત એકમની શિસ્ત સમિતિ દ્વારા મળેલી ફરિયાદોને પગલે પાર્ટીના 38 સભ્યોને સમાન આધાર પર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શિસ્તભંગના પગલાંનો સામનો કરી રહેલા અન્ય લોકોમાં કોંગ્રેસના સભ્યોનો પણ સમાવેશ થાય છે. સમિતિના કન્વીનરે અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે કોંગ્રેસના 95 સભ્યો સામે 71 ફરિયાદો મળી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.