અડધો ડઝન કોંગ્રેસી નેતાઓના ઠેકાણાઓ પર EDના દરોડા

EDએ હવે કોંગ્રેસના નેતાઓ પર પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે વહેલી સવારે EDએ કોંગ્રેસના અડધો ડઝન નેતાઓ પર દરોડા પાડ્યા છે. જે નેતાઓ વિરુદ્ધ આ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં રામ ગોપાલ અગ્રવાલ, ગિરીશ દેવાંગન, આરપી સિંહ, વિનોદ તિવારી, સની અગ્રવાલ અને અન્ય ઘણા લોકોના નામ છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 24 ફેબ્રુઆરીથી રાયપુરમાં થઈ રહ્યું છે. આવા સમયે કોંગ્રેસના નેતાઓ સામે EDના દરોડાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

EDએ કોંગ્રેસના અનેક નેતાઓ પર સકંજો કસ્યો છે અને ગત રાતથી રેકી કર્યા બાદ સવારે EDએ દરોડા પાડ્યા. જે નેતાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે તે શ્રીરામ નગર, ડીડી નગર, ગીતાંજલિ નગર, મોવા, ભિલાઈમાં રહે છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે છત્તીસગઢમાં મોટા નેતાઓ એકત્ર થઈ રહ્યા છે. અધિવેશન 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને આ પહેલા સોમવારે વહેલી સવારે EDની ટીમોએ લગભગ અડધો ડઝન નેતાઓના ઘરો પર દરોડા પાડ્યાના સમાચાર છે. અહીં જે નેતાઓને ત્યાં દરોડા પડ્યાની માહિતી મળી છે, તેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ખજાનચી રામ ગોપાલ અગ્રવાલ, શ્રમ કલ્યાણ બોર્ડના પ્રમુખ સુશીલ સન્ની અગ્રવાલ, ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ, પ્રવક્તા આરપી સિંહ, વિનોદ તિવારી વગેરેનો સમાવેશ થાય છે.

હાલમાં આ મામલે વધુ માહિતી સામે આવી નથી. કોંગ્રેસના મીડિયા વિભાગ તરફથી પણ આ દરોડા અંગે કોઈ વાત કહેવામાં આવી નથી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.