મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને આપ્યો આ આદેશ

PC: twitter.com

મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો મૃતક પરીવારને વળતર મામલે આપવામાં આવ્યો છે. મૃતકના પરીવારને 10 લાખ વળતર આપવાનો આદેશ ઓરેવા ગ્રુપ કંપનીને આપવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં સતત સોમવારથી સુનાવણી ચાલતી હતી ત્યારે આજે બુધવારે ગુજરાત હાઈકોર્ટે મૃતક પરીવારને 10-10 વળતર આપવા તેમજ ઘાયલ પીડિતને 2-2 લાખ વળતર આપવા માટે આદેશ કર્યો છે. રુપિયાથી ગયેલા જીવની કિંતન ના કરી શકાય તેમ પણ ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું, આ સાથે વચગાળાનો આદેશ આપતા વળતરની સહાય ચુકવવા માટે કહ્યું છે. ઓરેવાએ કોર્ટના આદેશનું પાલન કરવું પડશે.

સમગ્ર દેશમાં હચમચાવનારી મોરબી કેબલ બ્રિજ દૂર્ઘટના બનતા ઓરેવા ગ્રુપ પર આંગળીઓ ચિંધવામાં આવી હતી. ઓરેવા ગ્રુપે જ બ્રિજનું સમારકામ કર્યું હતું ત્યારે ચાર્જસિટમાં જયસુખ પટેલનું નામ પણ મુખ્ય આરોપી તરીકે સામેલ છે ત્યારે કોર્ટે અત્યાર પુરતો વચગાળાનો આદેશ સહાય મામલે આપ્યો છે.

કોર્ટમાં મૃતક પરીવારને રુ. 5-5 લાખનું વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. ગઈકાલે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી દૂર્ધટનામાં મૃતક પરીવારને 3.5 લાખ અને 1.5 લાખ ઘાયલ પીડિતોને ચૂકવવા માટે તૈયારી દર્શાવી હતી ત્યારે આજે 5 લાખના વળતરની તૈયારી દર્શાવ્યા બાદ વકીલ તરફથી એવું પણ રજૂઆત કરાઈ હતી કે, તેમની કેટલીક મર્યાદા છે. જો કે, હાઈકોર્ટ તરફથી આ મામલે વધુ સુનાવણી હાથ ધરાતા 10-10 લાખ મૃતક પરીવારને ચુકવવા આદેશ આપવામાં આવ્યો છે.

મોરબી દુર્ઘટનામાં 135 જેટલા લોકોનો જીવ ગયો છે. ત્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના સમગ્ર દેશમાં કંપારી કરી દે તેવી હતી. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ મામલે સુઓમોટોનું સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીટની પણ ચરના કરવામાં આવી હતી. જેમાં જયસુખ પટેલ સહીતના તમામ આરોપીઓ અત્યારે જેલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp