હું બહાર આવીશ એટલે ખુલાસાઓ કરીશ, યુવરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન

PC: twitter.com

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અત્યારે જેલમાં છે. તોડકાંડ મામલે ફસાયેલા યુવરાજસિંહને ભાવનગર કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે,  હું બહાર આવી એટલે ખુલાસાઓ થશે. બીજું ઘણું બધુ બહાર આવશે આ સાથે એમ પણ કહ્યું હતું કે, મજબુતાઈથી જવાબ આપીશ. ભાવનગર કોર્ટમાં અગાઉ તોડકાંડ મામલે લાગેલા આક્ષેપ બાદ તેમના રીમાન્ડ પણ મંજૂર કરાયા હતા અને પોલીસે આ મામલે આગળની કાર્યવાહી પણ કરી હતી ત્યારે આજે કોર્ટમાં રજૂ કરતા મહત્વનું નિવેદન વિદ્યાર્થી નેતાએ આપ્યું હતું.

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં. રૂપિયાની લેવડદેવડમાં મારે કોઈ લેવા દેવા નથી.  આ સાથે કહ્યું કે, અમને ન્યાયતંત્ર પર ભરોસો છે ચોક્કસથી ન્યાય થશે.

મીડિયા સાથેની વાતચીતમાં તેણે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પોલીસે મજબૂત પુરાવા મુક્યા અમે પણ મજબૂત જવાબ આપીશું. અમારી પાસે ઘણુ બધુ છે. ક્યાંય પણ આર્થિક લેતી દેતીમાં મારું ઈનવોલમેન્ટ નથી. વન સાઈડમાં દેખાયું છે. પડદા પાછળનું પિક્ચર આવ્યું નથી. ટ્રેલર તો આવી ગયું છે. હું બહાર આવીશ એટલે ઘણું બધું નવું જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp