ચૂંટણી પહેલા સિંધિયાનો સાથ છોડી રહ્યા છે સાથીઓ, એક પછી એક કોંગ્રેસમાં સામેલ

ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા માટે અત્યારે રાજકીય પાસાઓ ઠીક નથી પડી રહ્યા. તેમના સહયોગીઓ છોડીને જઇ રહ્યા  છે તે કારણ બતાવવામાં આવી રહ્યું છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટમી થવાની છે અને સિંધિયાના સહયોગીઓનો સાથ છોડવાનો સિલસિલો જારી છે.

તેમના નજીકના ગમાતા સાથે સમંદર પટેલે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. તેઓ પહેલા એવા નેતા છે જે અત્યારે કોંગ્રેસ તરફ ગયા છે, તેમના ઉપરાંત સિંધિયાના નજીકના ગણાતા 7 નેતાઓએ પણ ભાજપનો સાથ છોડી દીધો છે.

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી ચે. અત્યારે એ કહેવું આસાન નતી કે કઇ પાર્ટીનું પલ્લું મધ્ય પ્રદેશમાં ભારે છે.

ભાજપમાં આવેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય  સિંધિયાના રાજકીય વજનને લઇને ભાજપ આશ્વસ્ત છે અને ભાજપને તેનો રાજકીય ફાયદો મળશે પણ ચૂૂટણી પહેલા સિંધિયાના નજીકના લોકોનું કોંગ્રેસમાં જવું પાર્ટી માટે જોખમ ઉભું કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંધિયાના જે સાથી નેતાઓએ ભાજપનો સાથ છોડ્યો છે, તેમાં વધારે પડતા ગ્વાલિયર, ચંબલ સંભાગના નેતાઓ છે. ખાસ વાત એ છે કે, આ સંભાગ સિંધિયાનો વિસ્તાર છે અને રાજઘરાનાનું રાજકીય ગઢ ગણાય છે.

ભાજપનો સાથ છોડનારા નેતાઓમાં સમંદર પટેલનું નામ ઘણું પ્રમુખતાથી લેવાઇ રહ્યું છે. તે નીમચ જાવદ વિધાનસભાથી અપક્ષ ચૂંટલી લડી ચૂક્યા છે. હારવા છતાં ઘણો પ્રભાવ છોડવામાં તેઓ સફળ રહ્યા હતા. તે સિવાય ભાજપનો સાથ છોડનારા નેતાઓમાં બેૈજનાથ સિંહ યાદવ, જયપાલ સિંહ યાદવ, યદુરાજ સિંહ યાદવ, રઘુરાજ ધાકડ, રાકેશ ગુપ્તા, ગગન દિક્ષિત વગેરે નામ શામેલ છે. ભાજપ મધ્યપ્રદેશ ચૂંટણીને લઇને તૈયાર દેખાઇ રહ્યું છએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત મધ્યપ્રદેશના પ્રવાસે છે.

સમંદર પટેલ નીમચ 2018માં જાવડથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. પટેલ ચૂંટણી જીતી શક્યા ન હતા, પરંતુ 33 હજાર મત મેળવીને કોંગ્રેસનો ખેલ બગાડવામાં સફળ રહ્યા હતા.જ્યારે સિંધિયા ભાજપમાં જોડાયા, પછી પટેલ પણ તેમની સાથે ભાજપમાં આવ્યા હતા.

ગુના-શિવપુરીમાં સિંધિયાના નજીકના ગણાતા બૈજનાથ યાદવ પણ જૂનમાં કોંગ્રેસમાં જોડાયા હતા. બૈજનાથ યાદવની પત્ની કમલા યાદવ શિવપુરી જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે.જ્યારે યાદવ કોંગ્રેસમાં જોડાયા ત્યારે તેઓ 400 વાહનોના કાફલા સાથે ભોપાલ પહોંચ્યા હતા.

સિંધિયાના સમર્થક જયપાલ સિંહ યાદવ ચંદેરીથી ચૂંટણી લડી ચૂક્યા છે. યાદવની ગણના પણ સિંધિયાના ખાસ લોકોમાં થાય છે. તાજેતરમાં યાદવે પોતાના સમર્થકો સાથે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે.

યદુરાજ સિંહ યાદવ - ચંદેરીમાં મજબૂત પકડ છે. સંગઠનના વ્યક્તિ ગણાય છે. સિંધિયા ચૂંટણી લડતા હતા, તો અશોકનગરમાં મોટી ભૂમિકા ભજવી હતી. જયપાલ સિંહની સાથે તેમણે પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

રઘુરાજ ધાકડ - કોલારસથી આવે છે અને લગભગ 20 વર્ષોથી રાજકારણમાં છે. ધાકડ સમાજના કદાવર નેતાઓમાં ગણાય છે. કોલારસમાં ધાકડ સમુદાયના લગભગ 25 હજાર વોટર્સ છે.

રાકેશ ગુપ્તા - શિવપુરમાં ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ બનાવાયા હતા. શિવપુરીમાં સિંધિયાની લોકસભા ચૂંટણી મેનેજમેન્ટનું કામ ગુપ્તા જ જોતા હતા.

ગગન દક્ષિત - સિંધિયા ફેન ક્લબના જિલ્લાધ્યક્ષના પદ પર હતા. દિક્ષિતની સાથે સાંચી જનપદ પંચાયતના અધ્યક્ષના નજીકના અને શિવરાજ સરકારમાં મંત્રી પ્રભુરામ ચૌધરી આવે છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.