બાબાસાહેબ અંગેના નિવેદનના વાયરલ થયેલા વીડિયો બાબતે જાણો અમિત શાહે શું કહ્યું

હોમ મિનિસ્ટર અમિત શાહ રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પર આપેલા નિવેદનને કારણે આજે વિવાદમાં છે. કોંગ્રેસે તો તેમનું રાજીનામું પણ માગી લીધું છે.  આ અંગે અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ સપનામાં પણ બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરી ન શકે. જેપી નડ્ડા અને અશ્વિની વૈષ્ણવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે, બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની 75 વર્ષની ગૌરવ યાત્રા, વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓની ચર્ચા કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે સંસદમાં પક્ષો અને વિપક્ષો હોય અને લોકોના પોતાના વિચારો હોય. પરંતુ જ્યારે સંસદમાં ચર્ચા થાય છે ત્યારે તે તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. પરંતુ ગઈકાલથી કોંગ્રેસે જે રીતે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા તેની હું સખત નિંદા કરું છું.

ગૃહમંત્રીએ કહ્યું કે આવું એટલા માટે થયું કારણ કે ભાજપના વક્તાઓએ કહ્યું કે કોંગ્રેસ આંબેડકર વિરોધી પાર્ટી છે, બંધારણ વિરોધી છે. કોંગ્રેસે સાવરકરજીનું અપમાન કર્યું. કોંગ્રેસે ઈમરજન્સી લાદીને બંધારણને કચડી નાખ્યું. કોંગ્રેસે ભારતીય સેનાનું અપમાન કર્યું. કોંગ્રેસે ભારતની જમીન આપી દીધી. જ્યારે સંસદમાં આ વાત સાબિત થઈ ત્યારે કોંગ્રેસે જુઠ્ઠાણા ફેલાવવાનું શરૂ કર્યું. કોંગ્રેસ પાર્ટી આંબેડકર વિરોધી છે. કોંગ્રેસ બંધારણ વિરોધી છે. કોંગ્રેસે સેનાના શહીદોનું અપમાન કર્યું. કોંગ્રેસ સાવરકર વિરોધી છે. બાબા સાહેબની ગેરહાજરી પછી પણ કોંગ્રેસે ક્યારેય બાબા સાહેબને સન્માન આપ્યું નથી. પંડિતજીના ઘણા પુસ્તકોમાં લખ્યું છે કે તેમણે ક્યારેય બાબા સાહેબને યોગ્ય સ્થાન આપ્યું નથી.

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબને ભારત રત્ન નથી આપ્યો. પંડિત નેહરુએ પોતાને ભારત રત્ન આપ્યો, કોંગ્રેસે તેના નેતાઓને ભારત રત્ન આપ્યો. 1990 સુધી તેમણે ખાતરી કરી કે આંબેડકરજીને ભારત રત્ન ન મળે.

અમિત શાહે કહ્યું કે, મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ ફેક ન્યૂઝ ફેલાવે છે. હું આંબેડકરજી વિરુદ્ધ ક્યારેય બોલી ન શકું. કોંગ્રેસે રાજ્યસભામાં મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કર્યા. આંબેડકરજી 370ની વિરુદ્ધ હતા. કોંગ્રેસ ચૂંટણી દરમિયાન AI દ્વારા એડિટેડ કરવામાં આવેલા મારા વીડિયોનો ઉપયોગ કરે છે. મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ફેક ન્યૂઝ ફેલાવે છે. હું સપનામાં પણ આંબેડકરજી વિરુદ્ધ બોલી ન શકું.

તેમણે કહ્યું કે જેમણે (કોંગ્રેસ) જીવનભર બાબા સાહેબનું સન્માન નથી કર્યું તેઓ આજે બાબા સાહેબના નામ પર ખોટી માન્યતાઓ ફેલાવી રહ્યા છે. ખડગે સાહેબ, તમે એ વર્ગમાંથી આવો છો જેના માટે બાબા સાહેબે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તમે રાહુલ ગાંધીના દબાણ હેઠળ આ અપ્રિય પ્રયાસમાં આગળ આવ્યા છો. કોંગ્રેસે મારા નિવેદનને તોડી-મરોડીને માત્ર અડધું જ રજૂ કર્યું. મારા આખા સ્ટેટમેન્ટને સામે રાખવામાં આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અમે તો એવું કંઈ ન કરી શકીએ જેનાથી બાબા સાહેબનું અપમાન થાય.

તેમણે વધુમાં કહ્યું કે, ખડગેજી મારા રાજીનામાની માંગ કરી રહ્યા છે. જો તેઓ ખુશ થાત તો હું રાજીનામું પણ આપી દેત, પરંતુ તમારે 15 વર્ષ સુધી જ્યાં છો ત્યાં જ બેસવું પડશે. મારું ભાષણ એડિટ કરવામાં આવ્યું છે, તેનો એક નાનો ભાગ પ્રસારિત કરવામાં આવ્યો છે. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.