બાબાસાહેબ અંગેના નિવેદનના વાયરલ થયેલા વીડિયો બાબતે જાણો અમિત શાહે શું કહ્યું
હોમ મિનિસ્ટર અમિત શાહ રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પર આપેલા નિવેદનને કારણે આજે વિવાદમાં છે. કોંગ્રેસે તો તેમનું રાજીનામું પણ માગી લીધું છે. આ અંગે અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ સપનામાં પણ બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરી ન શકે. જેપી નડ્ડા અને અશ્વિની વૈષ્ણવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે, બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની 75 વર્ષની ગૌરવ યાત્રા, વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓની ચર્ચા કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે સંસદમાં પક્ષો અને વિપક્ષો હોય અને લોકોના પોતાના વિચારો હોય. પરંતુ જ્યારે સંસદમાં ચર્ચા થાય છે ત્યારે તે તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. પરંતુ ગઈકાલથી કોંગ્રેસે જે રીતે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા તેની હું સખત નિંદા કરું છું.
ગૃહમંત્રીએ કહ્યું કે આવું એટલા માટે થયું કારણ કે ભાજપના વક્તાઓએ કહ્યું કે કોંગ્રેસ આંબેડકર વિરોધી પાર્ટી છે, બંધારણ વિરોધી છે. કોંગ્રેસે સાવરકરજીનું અપમાન કર્યું. કોંગ્રેસે ઈમરજન્સી લાદીને બંધારણને કચડી નાખ્યું. કોંગ્રેસે ભારતીય સેનાનું અપમાન કર્યું. કોંગ્રેસે ભારતની જમીન આપી દીધી. જ્યારે સંસદમાં આ વાત સાબિત થઈ ત્યારે કોંગ્રેસે જુઠ્ઠાણા ફેલાવવાનું શરૂ કર્યું. કોંગ્રેસ પાર્ટી આંબેડકર વિરોધી છે. કોંગ્રેસ બંધારણ વિરોધી છે. કોંગ્રેસે સેનાના શહીદોનું અપમાન કર્યું. કોંગ્રેસ સાવરકર વિરોધી છે. બાબા સાહેબની ગેરહાજરી પછી પણ કોંગ્રેસે ક્યારેય બાબા સાહેબને સન્માન આપ્યું નથી. પંડિતજીના ઘણા પુસ્તકોમાં લખ્યું છે કે તેમણે ક્યારેય બાબા સાહેબને યોગ્ય સ્થાન આપ્યું નથી.
"अभी एक फैशन हो गया है- अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर..
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 17, 2024
इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता."
अमित शाह ने बेहद घृणित बात की है.
इस बात से जाहिर होता है कि BJP और RSS के नेताओं के मन में बाबा साहेब अंबेडकर जी को लेकर बहुत नफरत है.
नफरत… pic.twitter.com/UMvMAq43O8
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબને ભારત રત્ન નથી આપ્યો. પંડિત નેહરુએ પોતાને ભારત રત્ન આપ્યો, કોંગ્રેસે તેના નેતાઓને ભારત રત્ન આપ્યો. 1990 સુધી તેમણે ખાતરી કરી કે આંબેડકરજીને ભારત રત્ન ન મળે.
અમિત શાહે કહ્યું કે, મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ ફેક ન્યૂઝ ફેલાવે છે. હું આંબેડકરજી વિરુદ્ધ ક્યારેય બોલી ન શકું. કોંગ્રેસે રાજ્યસભામાં મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કર્યા. આંબેડકરજી 370ની વિરુદ્ધ હતા. કોંગ્રેસ ચૂંટણી દરમિયાન AI દ્વારા એડિટેડ કરવામાં આવેલા મારા વીડિયોનો ઉપયોગ કરે છે. મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ફેક ન્યૂઝ ફેલાવે છે. હું સપનામાં પણ આંબેડકરજી વિરુદ્ધ બોલી ન શકું.
#WATCH | Delhi: On Congress president Mallikarjun Kharge, Union Home Minister Amit Shah says, "Kharge ji is asking for my resignation. If it would have made him happy, I would have resigned, but it will not end his problems because he will have to sit in the same place (in the… pic.twitter.com/cv18UncVQX
— ANI (@ANI) December 18, 2024
તેમણે કહ્યું કે જેમણે (કોંગ્રેસ) જીવનભર બાબા સાહેબનું સન્માન નથી કર્યું તેઓ આજે બાબા સાહેબના નામ પર ખોટી માન્યતાઓ ફેલાવી રહ્યા છે. ખડગે સાહેબ, તમે એ વર્ગમાંથી આવો છો જેના માટે બાબા સાહેબે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તમે રાહુલ ગાંધીના દબાણ હેઠળ આ અપ્રિય પ્રયાસમાં આગળ આવ્યા છો. કોંગ્રેસે મારા નિવેદનને તોડી-મરોડીને માત્ર અડધું જ રજૂ કર્યું. મારા આખા સ્ટેટમેન્ટને સામે રાખવામાં આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અમે તો એવું કંઈ ન કરી શકીએ જેનાથી બાબા સાહેબનું અપમાન થાય.
તેમણે વધુમાં કહ્યું કે, ખડગેજી મારા રાજીનામાની માંગ કરી રહ્યા છે. જો તેઓ ખુશ થાત તો હું રાજીનામું પણ આપી દેત, પરંતુ તમારે 15 વર્ષ સુધી જ્યાં છો ત્યાં જ બેસવું પડશે. મારું ભાષણ એડિટ કરવામાં આવ્યું છે, તેનો એક નાનો ભાગ પ્રસારિત કરવામાં આવ્યો છે. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp