આ રાજ્યની BJP સરકાર કહે છે છઠ્ઠું જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર નહીં તેમના રાજ્યમાં છે

મહાશિવરાત્રી પહેલા, આસામ સરકારે એક જાહેરાત બહાર પાડી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતનું છઠ્ઠું જ્યોતિર્લિંગ આસામના કામરૂપ જિલ્લામાં ડાકિની ટેકરી પર સ્થિત છે. મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષો આસામ સરકારના આ દાવાની આકરી ટીકા કરી રહ્યા છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે છઠ્ઠું જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં પુણે નજીક ભીમાશંકરમાં આવેલું છે.

આ અંગે વાંધો વ્યક્ત કરતા મહારાષ્ટ્ર કોંગ્રેસે કહ્યું છે કે ભાજપ મહારાષ્ટ્રમાંથી ભગવાન શિવને છીનવી લેવા માંગે છે. તે જ સમયે, હવે આ વિવાદમાં NCP પણ કૂદી પડ્યું છે. શરદ પવારના પૌત્ર અને NCP વિધાનસભ્ય રોહિત પવારે કહ્યું – હજારો વર્ષોથી છઠ્ઠું જ્યોતિર્લિંગ અહીં છે, એ બધા જાણે છે. આસામમાં ચૂંટણી છે, તેથી તેઓ અમારા જ્યોતિર્લિંગનો દાવો કરી રહ્યા છે. અમે તેનો વિરોધ કરીએ છીએ. આવો દાવો કરીને આસામના સીએમ શું સાબિત કરવા માગે છે? બીજા કોઈ મુદ્દે રાજકારણ કરો. બળવા પછી આસામના સીએમ એકનાથ શિંદેનું ખૂબ ધ્યાન રાખ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય ભાઈ જગતાપે કહ્યું કે તેઓએ (ભાજપ) પહેલા ભગવાન રામના નામ પર રાજનીતિ કરી અને હવે જ્યોતિર્લિંગ પર રાજનીતિ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં હજારો વર્ષોથી જ્યોતિર્લિંગ છે. ભાઈ જગતાપે કહ્યું કે રામ મંદિરનો મુદ્દો સમાપ્ત થઈ રહ્યો છે, તેથી તેઓ નવો મુદ્દો ઉઠાવી રહ્યા છે. ભગવાન શિવના નામનો ઉપયોગ પોતાના ફાયદા માટે ન કરો. સીએમ શિંદે અને આસામના સીએમ બંને સારા મિત્રો છે, તેથી બંનેએ સાથે બેસીને વાતચીત દ્વારા આ વિવાદનો અંત લાવવો જોઈએ.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.