રાજકોટના મેયરે જણાવ્યું- રાજકારણમાં પ્રવેશતી વખતે શું શું બાબતો ધ્યાનમાં રાખવી

રાજકોટ - ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા એક રાજકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન સરદાર પટેલ ભવન માયાણી ચોક મવડી રોડ રાજકોટ ખાતે તારીખ 25 જૂને કરવામાં આવ્યું હતું. પ્રથમ વકતવ્ય શિવરાજ પટેલે આપ્યું હતું. વક્તવ્યમાં શિવરાજ પટેલે જણાવ્યું હતું કે, હંમેશ માટે પોલિટિક્સમાં આવતા પહેલા તમારે અનેક બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે, પોલિટિક્સમાં આવતા પહેલા તમારે કોઈપણ એક પાર્ટી પસંદ કરવાની રહે છે, પાર્ટીના પસંદગીના ધોરણમાં પાર્ટીની પ્રવૃત્તિ, એમને કરેલા કાર્યો, એમને કરેલા વિકાસના કાર્યને ધ્યાનમાં રાખી કોઈપણ વ્યક્તિ પોતાની પાર્ટીને પસંદ કરતો હોય છે. આમ પણ જ્યારે રાજકારણમાં પ્રવેશ કરતી વખતે એમને એમ પણ કહ્યું હતું કે, વ્યક્તિએ પોતાના રોડ મોડલ તરીકે કોઈ સર્વ ગુણ સમાં રાજકારણી વ્યક્તિને પસંદ કરવો જોઈએ. એમની આઇડ્યાલોજીને વરીને કાર્ય કરવા માટે આગેકૂચ કરવી જોઈએ. જેમની અંદર તમામ રાજકારણના ગુણો હોવા જોઈએ સાથે સાથે એમને અનેક ઉદાહરણના માધ્યમથી રાજકારણમાં પ્રવેશ કરતા શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના પર પણ પ્રકાશ પાડ્યો હતો. કોઈપણ પાર્ટી પરના મત મતાંતરો વગર એમને સુંદર મજાનું જ્ઞાન લોકોને આપ્યું હતું. સાથે સાથે ફાઇનાન્સની શું જરૂર પડે અને રાજકારણમાં ફાઇનાન્સનું શું મહત્વ હોઈ છે એના વિશે પણ પ્રકાશ પાડ્યો હતો. અને શિવરાજ પટેલ સાહેબના સુંદર વક્તવ્ય બદલ બેઠેલ લોકોએ એમને તાળીના નાદથી ખૂબ પ્રતિસાદ આપ્યો હતો.

કાર્યક્રમમાં દ્વિતીય વક્તવ્ય રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવે આપ્યું હતું. એક સામાન્ય કાર્યકરથી લઈને મેયર સુધીની મંજિલ અમને સફળ કરી હતી. ત્યારે રાજકોટના મેયર તરીકે એમને ખૂબ જ વિકાસના સ્વપ્નને સાકાર કર્યું છે ત્યારે રાજકારણમાં પ્રવેશતી વખતે શું શું બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. લોકોની સેવાઓ કરવી પડે છે એમના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઘણી વખત રાજકારણમાં હોય ત્યારે આપણે જે વિસ્તારમાં હોય એ આપણો મતવિસ્તાર જ આપણો એક પરિવાર બને છે એ પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિની ચિંતા હંમેશ માટે આપણે કરવાની રહે છે. સાથે સાથે સાહેબે કીધું કે હંમેશ માટે હું એ વિસ્તારના લોકો માટે જે ચિંતિત રહેતો હોઉં છું અને લોકો માટે ચિંતિત રહેવાથી ક્યારેક પરિવારિક એટલે કે પરિવાર પણ ભુલાતો જતો હોય છે. એક કિસ્સાને યાદ કરી પ્રદિપ ડવ ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું કે, રાજકારણમાં કામ કરતા સમયે પરિવારને સમય નથી આપી શકાતો. પરિવારની ખુશીઓનો પણ ત્યાગ કરવો પડે છે. પ્રદિપ ડવે પોતાનો એક વ્યક્તિગત કિસ્સો કહ્યો એ સમયે તેઓ ભાવુક થયા હતા.

ડો. પ્રદિપ ડવે સેમિનારમાં પોતાના વ્યક્તિગત અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, એક રાજકારણીનું જીવન ખૂબ જ કપરૂં હોય છે. લોકો એમ માનતા હોય છે કે રાજકીય વ્યક્તિ મોજશોખ પૂરા કરે છે, પરંતુ વાસ્તવમાં તેવું હોતું નથી. પોતાના પરિવાર સાથે બહાર જમવા જવાનો પ્રોગ્રામ કર્યો પરંતુ આ પ્રોગ્રામ પણ રદ્દ કરવો પડે છે. તેમના દીકરાના જન્મદિવસનો કિસ્સો વર્ણવતા કહ્યુ હતું કે મારો 7 વર્ષનો દીકરો છે. તેનો જન્મદિવસ હતો. અમે સાંજે બહાર જવાનું નક્કી કર્યું હતું પરંતુ મારે 7 વાગ્યે એક કાર્યક્રમમાં હાજર રહેવું પડ્યું. ત્યાંથી ફ્રી થવામાં ઘણો સમય લાગ્યો. જ્યારે હું રાત્રે 9.30 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે તે સૂઇ ગયો હતો. આ વાત યાદ કરતા મેયર ડો.પ્રદિપ ડવ ભાવુક થઈ ગયા હતા. વધુમાં તેઓએ કહ્યું હતું કે, આપણે જે સ્થળે હોઈએ ત્યાં નિષ્ઠાથી કામ કરીએ. રાજકોટના મેયર તરીકે મારી ફરજ છે તો રાજકોટને શું આપી શકું તે દિશામાં આપણા પ્રયત્ન હોવા જોઇએ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.