રાજકોટઃ તને ના પાડી છતાં શેરીમાંથી કેમ નીકળે છે? કહી યુવકને છરીથી રહેસી નાખ્યો

રંગીલુ રાજકોટ ફરી એકવાર રક્તરંજિત થયું છે. જેમાં આંબેડકરનગરમાં યુવાનને જૂની અદાવતનો ખાર રાખી આઠ શખ્સોએ સરાજાહેર રહેસી નાખ્યો હતો. મૃતકના શેરીમાંથી નીકળવાની ના પાડી આઠ શખ્સોએ કાર અને સ્કુટરમાં પીછો કરી છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ઘટનાના પગલે બે શકમંદોને ઉઠાવી પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા મેઈન 2ોડ પ2 સ્વામી નારાયણ સ્કૂલ સામે રહેતો અને મનપાના ઢોરડબ્બામાં કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટ બેઈઝથી કામ કરતો સિદ્ધાર્થ ઉર્ફે 2ઘો જીવણભાઈ મકવાણા (ઉ.વ.22) આજે મોડી રાત્રે 80 ફુટ રોડ નજીક આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં.1 નજીક હતો ત્યારે ગોપાલ કલા ગોહેલ, ભમો ઉર્ફે જીજ્ઞેશ પુંજા ગોહેલ, ધર્મેશ કનું ગોહેલ, હિતેશ કનુ ગોહેલ, આનંદ ઉર્ફે કાળુ રવિ મૂછડિયા, મયુર ઉર્ફે એમ.ડી. વિનુ દાફડા, નિતિન રવિ મુછડિયા અને મોહિત ઉર્ફે બન્ની સુરેશ પરમાર સહિતના શખ્સોએ તેના પર છરી વડે ઘાતક હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.

108ને જાણ કરાતા સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જેના તબીબે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં થોરાળા પૉલીસ મથકના પી.આઈ. ડો.એલ.કે.જેઠવા સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતક સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણાના બનેવી સુનીલ નાથાભાઈ ચાવડાની ફરિયાદના આધારે પોલીસે આઠ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથઘરી બે શકમંદોને ઉઠાવી લઈ તેની પૂછરછ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

થોરાળા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક સિદ્ધાર્થ ઉર્ફે રધો અને તેના મિત્ર નિખિલ ઉર્ફે નાથો પ્રવીણભાઈ સોલંકીને અગાઉ બે માસ પહેલા હત્યારાઓ સાથે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી ગઇ કાલે રાત્રીના આઠેય શખ્સોએ સિદ્ધાર્થ ઉર્ફે રઘા મકવાણાનો કાર અને સ્કૂટરમાં પીછો કર્યો હતો. અને તે દરમિયાન આરોપીઓએ “તને ના પાડી છતાં શેરીમાંથી કેમ નીકળે છે?, અને તારો મિત્ર નિખિલ ક્યાં છે?” તેમ કહી ગાળો ભાંડી હતી.

ત્યારે સિદ્ધાર્થ મકવાણાએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગોપાલ ગોહેલ, ભમો ઉર્ફે જીજ્ઞેશ ગોહેલ, ધર્મેશ ગોહેલ, હિતેશ ગોહેલ, આનંદ ઉર્ફે કાળુ મુછડિયા, મયુર ઉર્ફે એમ.ડી.દાફડા, નીતિન મુછડિયા અને મોહિત ઉર્ફે બન્ની મુછાડિયાએ પીછો કરી આંબેડકરનગર -1માં અજય વે બ્રિજ પાસે આઠેય શખ્સોએ તેને ઘેરી લઈ માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે હત્યાની ઘટનાની નોંધ કરી આરોપીની શોધખોળ હાથધરી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.