ગુજરાતના આ જિલ્લામાં મંજૂરી વિના બનાવેલી 12 માળની 50 ઈમારતો સામે કાર્યવાહી

મોરબીમાં રવાપરા ગામમાં 12 માળની ઈમારતના નિર્માણના વિવાદ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 12 માળની ઈમારતને આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મંજૂરી વિના બનાવેલી 12 માળની 50 ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

રવાપરા ગામે અગાઉ 12 માળની બિલ્ડીંગ મામલે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં પણ અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે, ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારે 12 માળની બિલ્ડીંગની મંજૂરી શા માટે? આ સાથે ફાયર સેફ્ટીની ઈમજરન્સી જેવી ઘટનામાં શું અહીં કોઈ ઈક્વિપમેન્ટ મળી રહેશે કે કેમ તેમ પણ સવાલો ઉભા કરાયા હતા. ત્યારે અગાઉ થયેલી સુનાવણી બાદ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ થતા આજે આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી અને મંજૂરી રદ કરવામાં આવી છે.

આ ઘટનાની વિગતો જોવા જઈએ તો મોરબી પાસે રવાપરા ગામ આવેલું છે. જ્યાં 12 માળની 50 જેટલી ઈમારતો ઉભી થઈ હતી. ત્યારે સરપંચથી લઈને કલેક્ટર તેમજ પક્ષકારોને જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો. સ્પષ્ટ પણ આજે થયેલી એફીડેવીટમાં જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી અપાઈ છે તેમ પણ ઉલ્લેખ કરાયો હતો. આજે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહત્વની જાણકારી આપી હતી. જેમાં સંપૂર્ણ મંજૂરી રદ કરી દેવામાં આવી છે. જેથી આ 12 માળની બિલ્ડીંગ પર સંકટ ઘેરાયું છે. આગામી દિવસોમાં કોઈ નવો વળાંક આવે તો નવાઈ નહીં પરંતુ આ મામલે અત્યારે આ મંજૂરી રદ કરવામાં આવી છે.

About The Author

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.