‘હનુમાનજીએ સ્વામીનારાયણ ભગવાનની સેવા કરેલી’કહેનાર નૌતમ સ્વામીની અહિ થઈ હકાલપટ્ટી

PC: twitter.com

સાળગંપુર મંદિરના વિવાદમાં બળતામાં ઘી હોમનારા નૌતમ સ્વામી પર સાધુ સંતો નારાજ થયા છે અને નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાતના અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. આ નિર્ણય અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં લેવાયો છે. અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારીની લખનૌમાં મળેલી બેઠકમાં સ્વામીનારાયણ સંત નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના પદ પરથી હટાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નૌતમ સ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, સ્વામીનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. તેમણે આગળ કહ્યુ કે, ભગવાનના જેટલા પણ અવતાર થયા ભગવાન શ્રીરામ, ભગવાન  કૃષ્ણ નારાયણ, સ્વામી નારાયણ પણ ભગવાન જ છે. સ્વામીનારાયણ ભગવાનની પણ હનુમાનજીએ સેવા કરેલી છે.

એ વિશે સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જાહેર છે. તેમણે કહ્યું કે નાના મોટો પ્રશ્નો હોય તો તેની યોગ્ય ફોરમ પર વાત કરી શકાય. કેટલાંક લોકો કોર્ટમાં ગયા છે અને કોર્ટ જવાબ આપશે. નાના-મોટા લોકોએ જવાબ આપવાની જરૂર નથી. સાળંગપુરમાં હનુમાનજી મહારાજની વિશાળ પ્રતિમા છે એ ગૌરવની બાબત છે. કોઇ પણ સ્વામીનારાયણ મંદિર એવું ન હોય જેમા હનુમાન મહારાજ અને વિધ્નહર્તા દેવ હાજર ન હોય.

હનુમાનજી અપમાન સામે સાધુ સંતો ધુંઆપુઆ,સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર,મંદિરે...

સાળંગપુર મંદિરના ભીંતચિત્રમાં હનુમાનજીનું અપમાન થયું હોવાનો વિવાદ અટકવાનું નામ નથી લેતો. હવે ગુજરાતના સાધુ સંતો પણ ધૂંઆપુઆ થયા છે અને અમદાવાદમાં મળેલી સનાતન ધર્મના સંતોની બેઠકમાં કેટલાંક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સાધુ સંતોએ નક્કી કર્યું કે સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણના સંતો સાથે નહીં બેસશે. ઉપરાંત આગળની રણનીતિ નક્કી કરવા માટે 5 સપ્ટેમ્બર, મંગળવારે દેશભરના સાધુ સંતો લિમડીમાં ભેગા થવાના છે.

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામીનારાયણની સામે પ્રણામ કરતા હોય તે રીતે ચિત્ર બનાવવાનો વિવાદ વણસેલો છે. આ બાબતે સાણંદ હાઇવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી.

આ બેઠકમાં સાધુ-સંતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે સ્વામીનારાયણ મંદિરે જઇશું નહીં. સ્વામીનારાયણ સંતો સાથે સ્ટેજ શેર કરવામાં નહીં આવે. સ્વામીનારાયણ સંતોનો બષિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ડો. જ્યોતિરનાથ મહારાજે કહ્યુ કે, જે રીતે સ્વામીનારાયણના સાહિત્યમાં વારંવાર ભગવાનનું અપમાન કરવામાં આવે છે તેનો વિરોધ છે.સ્વામીનારાયણના કોઇ કાર્યક્રમમાં નહીં જવા અને બહિષ્કાર કરવા અમે અમારા અનુયાયીઓને સમજાવીશું.

તો રોકડીયા બાપુએ કહ્યું કે સ્વામીનારાયણના સંતો પોતાના ગુરુના નથી થયા તો પછી બીજાના કેવી રીતે થશે? સંત મોહક ગંગાદાસે કહ્યુ કે સરકાર આ બાબતે કડક પગલા લે તેવી અમે વિનંતી કરીશું. હનુમાનજી અમારા ભગવાન છે. તમે તેમને ગમે ત્યાં બેસાડી દો તે હવે નહીં ચાલે. મહિને મહિને તમે કઇંકને કઇંક બહાર લાવો છો. અમે શાસ્ત્રને કોર્ટમાં રજૂ કરીશું. તમામ સાધુ સંતો એક થાય. ધર્મ ખતરામાં હોય ત્યારે હથિયાર ઉઠાવવું પડે. હવે સ્વામીનારાયણનું તિલક નહીં લગાવાવમાં આવે.

ગિરનારના સાધ્વી ગીતા દીદીએ કહ્યુ કે અમારા હનુમાન શક્તિશાળી છે અને બધા સનાતનીઓમાં હનુમાન વસે છે એટલે લોકો સાળંગપુર આવે છે.

સાધુ સંતોની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 5 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના લિમડીમાં દેશભરના સાધુ સંતો ભેગા થશે અને આગળની રણનીતિ પર ચર્ચા થશે.

અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતા, મહામંડલેશ્વર કલ્યાણ નંદ ભારતી બાપુ, સરખેજના રૂષિ ભારતી બાપુ,જૂનાગઢના મહેન્દ્રગિરી બાપુ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિનાથ બાપુ, દેવનાથ બાપુ, પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ અને હર્ષદ ભારતી બાપુ સહિતના સાધુ સંતો હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp