અમરેલી જિલ્લાના આંબલીયાળા ગામમાં અધૂરા કામો પૂરા કરવા મુખ્યમંત્રીને રજૂઆત

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા આંબલીયાળા ગામમાં વાસ્મો યોજનાના કામો જેવા કે આરસીસી પાણીનો ટાંકો,સંપ રૂમ અને બાકી પાણી કનેક્શનના કામો પૂર્ણ કરાવવા માટે CM, સચિવ, અમરેલી કલેક્ટર, મામલતદાર, ધારાસભ્ય અને સાંસદ નારણ કાછડિયાને રજૂઆત કરવામાં આવી છે.  ટીમ ગબ્બર ગુજરાતના સ્થાપક એડવોકેટ કાંતિ એચ ગજેરા અને નયન જોષી એડવોકેટ વિસાવદરને સ્થાનિક વતની એવા સંજય બી જાદવ દ્વારા રજુઆત મળી છે કે, અમારા ગામની વસ્તી 2000ની છે અને આ ગામમાં સરકારની યોજના ઘર ઘર નળ જેનાથી તમામ ગામના પાણીથી વંચિત લોકોને પીવાનું પાણી કાયમ મળી રહે તે હેતુથી વાસ્મો યોજના હેઠળ સરકારની ગ્રાન્ટ ફાળવવામાં આવી અને આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલી છે.

આ માટે ટેન્ડર પણ મંજુર થઈ ગયું છે અને 4 માસમાં તમામ કામ પૂર્ણ કરવાનું નક્કી થયું હતું પણ આજે આ યોજના હેઠળ આર સીસીનો 1.50 લાખ લિટર પાણીનો ટાંકો તેમજ સંપ રૂમ પણ બનેલો નથી અને ગામના 50 ઘરોને પીવાના પાણીના નળ કનેકશન આપેલું નથી અને આ યોજનાના ઉપર જણાવેલ કામો અધૂરા છોડી દીધેલા છે અને સમયગાળો પણ પૂર્ણ થઈ ગયેલો છે જેથી આ યોજનાના કોન્ટેક્ટર દ્વારા કામો બાકી હોવાથી આ યોજનાના તમામ કામો પૂર્ણ કરવા માટે તાકીદે પગલા લેવામાં આવે અને તાત્કાલીક તમામ કામો પૂર્ણ કરવા યોગ્ય આદેશ આપવામાં આવે તેવી ટીમ ગબ્બર ગુજરાતની રજુવાત છે.

આ ઉપરાત તેમણે રજૂઆત કરી હતી કે, જો આ યોજનાના કામો રાખનાર કોન્ટ્રાક્ટરને જ્યાં સુધી કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓની સિકયુરિટી ડિપોઝીટ જપ્ત કરવામાં આવે અને યોગ્ય સમયમાં કામ પૂર્ણ ન થયું હોય જેથી પેનલ્ટી વસૂલવામાં આવે તેવા આદેશ આપવામાં આવે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.