મને બીજો કંઈ વાંધો નથી બસ માથું બહુ દુખે છે લખી 12મા ધોરણની વિદ્યાર્થિનીનો આપઘાત

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી ટેમ્પલ ગર્લ્સ હોસ્ટેલમાં ધો.12ની સાયન્સની વિદ્યાર્થીનીએ ઈમોશનલ સ્યૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લેતા ચકચારી મચી જવા પામી છે. મૂળ જેતપુર તાલુકાના કેરાડી ગામની યુવતી રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ’માથું બહુ દુખે છે, સોરી પપ્પા મને માફ કરજો’ લખી સાયન્સની વિદ્યાર્થિનીએ પરીક્ષા પૂર્વે જ જીવન ટૂંકાવતા પરિવારમાં આક્રંદ છવાયો છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ જેતપુર તાલુકાના કેરાડી ગામે રહેતી અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી એમ્પલ ગર્લ્સ હોસ્ટેલમાં રહી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી દેવાંશી પરસોતમભાઈ સરવૈયા નામની 18 વર્ષની વિદ્યાર્થીનીએ ગઇ કાલે સાંજે હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટના અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વી.એન.બોદર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. મૃતક દેવાંશી સરવૈયા રાજકોટમાં હોસ્ટેલમાં રહીને ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. ગઇ કાલે સાંજે તેણીએ ઈમોશનલ સ્યૂસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે સ્યૂસાઇડ નોટ કબજે કરી મૃતદેહ PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસે યુવતીના આપઘાત અંગે હોસ્ટેલના સંચાલકોની પણ પૂછપરછ કરી હતી અને પોલીસે વિદ્યાર્થિનીના આપઘાત પાછળનું સચોટ કારણ જાણવા માટે પણ તપાસ હાથધરી છે. ગામડે રહેતા પરિવારને દેવાંશીના આપઘાત અંગે જાણ થતાં શોકનો માહોલ છવાયો છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.