સુરતમાં કૂતરાના કરડવાથી 28 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત

સુરતમાં રખડતા ઢોર બાદ હવે રખડતા કૂતરાનો આતંક વધી રહ્યો છે. શહેરમાં રખડતા કૂતરાના હુમલાથી વધુ એક યુવાનનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. 28 વર્ષીય યુવકને શ્વાને બચકાં ભરતા તે બીમાર થયો હતો. આથી યુવકને શહેરની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે.

માહિતી મુજબ, સુરતમાં રહેતા 28 વર્ષીય રાજન નામના યુવક પર આઠેક દિવસ પહેલા રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ યુવક પર રખડતા શ્વાને હુમલો કરી બચકાં ભર્યા હતા. રખડતા કૂતરાના હુમલા બાદથી યુવક બીમાર રહેતો હતો. આથી તેને શહેરની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે તેમ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે.

નોંધનીય છે કે, આ પહેલા સુરતના ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને રખડતા શ્વાને 40થી વધુ બચકાં ભર્યા હતા. આથી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. એવી જ અન્ય એક ઘટના શહેરના ભેસ્તાન વિસ્તારમાં બની હતી. જ્યાં રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકાં ભરી હુમલો કર્યો હતો. આથી બાળકને ગંભીર ઇજાઓ થઈ હતી. તેનું પણ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જો કે રખડતા કૂતરાના હુમલાના કિસ્સા વારંવાર સામે આવતા લોકોમાં ડરનો માહોલ છે. જ્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.