સુરતમાં "અક્ષય સંયમ યાત્રા" સાથે આચાર્ય મહાશ્રમણજીની પધરામણી

જૈન ધર્મસંઘના 11માં આચાર્ય મહા શ્રમણજીના સુરતમાં પદાર્પણ બાદ અણુવ્રત દ્વાર ખાતેથી ભવ્ય " અક્ષય સંયમ યાત્રા" સાથે તેમની વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણ ખાતે પધરામણી થઈ હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા. જેને પગલે માહૌલ "મહાશ્રમણમય " બની ગયો હતો.

અહિંસા, પ્રમાણિકતા, કરૂણા અને મૈત્રીનો જન જન સુધી સંદેશો ફેલાવનાર યુગ પ્રધાન એવા જૈન ધર્મસંઘના 11માં આચાર્ય એ ગઈકાલે કામરેજ ખાતેથી ધવલ સેના સાથે પરવત પાટિયા ખાતે વિહાર કર્યો હતો. ત્યારબાદ સવારે અક્ષય તૃતીયા પ્રવાસ અંતરગત આચાર્ય મહા શ્રમણજી ધવલ સેના સાથે 10 કીમીનો વિહાર કરી અણુવ્રત દ્વાર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમના સ્વાગત માટે મહિલાઓ, બાળકો અને પુરુષો મળી હજારો શ્રધ્ધાળુઓ ઉપસ્થિત હતા. ત્યારબાદ અહીંથી વિવિધ ઝાકીઓ સાથે મધુર ગીતોની ધૂન વચ્ચે તેરાપંથ ધર્મ સંઘની તમામ સંઘીય સંસ્થાઓ કતારબદ્ધ રીતે આગળ વધી "અક્ષય સંયમ યાત્રા" કાઢવામાં આવી હતી. ભવ્ય અને વિશાળ સંયમ યાત્રાને જોઈ સુરતીઓ પણ અભિભૂત થઈ ગયા હતા. યાત્રાના માર્ગ પર જૈન ધર્મના લોકો સાથે અન્ય ધર્મના લોકોAએ પણ આચાર્ય શ્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આશરે 9:30 વાગે ભવ્ય યાત્રા ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રાંગણ ખાતે પહોંચી ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી.

આચાર્ય મહા શ્રમણ અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિ સુરતના અધ્યક્ષ સંજય સુરાનાએ જણાવ્યું હતું કે આવતી કાલે સવારે 8 વાગે અક્ષય તૃતીયા મહોત્સવની શરૂઆત થશે, જ્યાં આચાર્યના સાનિધ્યમાં 1111 થી વધુ તપસ્વીઓ વર્ષીતપના પારણા કરશે. જ્યારે સિટી તડકાના ફાઉન્ડર અને અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિના મીડિયા વિભાગ વતી વિશ્વેષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં અક્ષય તૃતીયાના અવસરે યોજાનાર વર્ષતપ તપસ્વીઓના પારણા એ એટલા માટે ઐતિહાસિક લેખાશે કે ભારતમાં પ્રથમ વખત તેરાપંથ ધર્મસંઘમાં 1111 થી વધુ તપસ્વીઓ આચાર્યના સાનિધ્યમાં પારણા કરશે. આચાર્ય આગામી 5 મે સુધી સુરતમાં પ્રવાસે છે. દરમિયાન વિભિન્ન ધાર્મિક, આધ્યત્મિક અનુષ્ઠાન નું આયોજન આચાર્ય શ્રીના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. જેનો સૌ સુરતવાસીઓ લાભ લઈ શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.