હાર્દિકના અજમેરના ફોટા અંગે શું કહ્યું નિખિલ સવાણીએ, જાણો

ખેડૂતોનાં દેવા માફી તેમ જ પાટીદારોને અનામત મામલે આમરણાંત ઉપવાસ પર બેઠેલાં હાર્દિક પટેલે 19 દિવસ બાદ પારણાં કરી લીધાં પણ વિવાદ હાર્દિકનો પીછો છોડતું નથી. ટૂંકમાં, કહીએ તો હાર્દિક અને વિવાદ એકબીજાનાં પર્યાય બની ગયાં છે.

આ વિવાદ એવો છે કે હાર્દિક ગયા વર્ષે અજમેરમાં આવેલી દરગાહ પર માથું ટેકવવા ગયેલો ત્યારના બે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે અને તેના વિરુદ્ધમાં ટીપ્પણી કરવામાં આવી છે.

 

આ બાબતે જ્યારે PAASનાં કન્વીનર નિખિલ સવાણી સાથે વાતચીત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે, હાર્દિકને બદનામ કરવાનું એક ચોક્કસ ષડ્યંત્ર ચાલી રહ્યું છે અને આ પ્રકારનાં ખોટા મેસેજ વાયરલ કરવા પાછળ ભાજપનો બદઇરાદો છે. હાર્દિક ઉપવાસ છોડ્યાં બાદ અજમેર ગયો નથી અને જે ફોટા વાયરલ કરીને મેસેજ વહેતાં કરવામાં આવ્યાં છે, તે તદ્દન ખોટાં છે. હાર્દિક લગભગ એકાદ વર્ષ પહેલાં અજમેર દરગાહ ગયો હતો. 

નિખિલ સવાણીએ એવું પણ જણાવ્યું કે, PAAS અને હાર્દિકને બદનામ કરવાનું જે લોકો ષડ્યંત્ર કરી રહ્યાં છે અને ખોટાં મેસેજ વાયરલ કરી રહ્યાં છે તેમની સામે આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવાની પણ PAAS દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.