સુરતમાં 8મીએ 'પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ' કાર્યક્રમ

અંગદાન જનજાગૃતિ માટે ડોનેટ લાઈફ સંસ્થા અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા રવિવાર 8 જાન્યુઆરીના રોજ “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ”નું આયોજન કરાયું છે.

એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. રાજ્યમાં છેલ્લા 17 વર્ષથી અંગદાન માટે સમાજમાં જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી અને ગુજરાતમાં અંગદાન કરાવવામાં અગ્રેસર સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે, લોકો કેડેવર ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજી, ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લે અને વધુ ને વધુ વ્યક્તિઓ તેમના બ્રેઇનડેડ સ્વજનના અંગોનું દાન કરાવીને કિડની, લિવર, ફેફસા અને હૃદય નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આગળ આવે તથા જે પરિવારોએ તેમના બ્રેનડેડ સ્વજનના અંગોનુ દાન કરાવીને સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપ્યું છે તેઓના પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાના ઉદેશ્ય સાથે “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ” નું આયોજન ડોનેટ લાઈફ અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા રવિવાર તા. 8 જાન્યુઆરી 2023ના રોજ સવારે ૦8:૦૦ કલાક થી બપોરે 12:30 કલાક દરમિયાન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, ડુમસ રોડ, સુરત ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ડોનેટ લાઈફ દ્વારા ગ્રાઉન્ડ ઉપર પતંગ અને ફિરકીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આ પતંગોત્સવમાં ઓક્ટોમ્બર, 2021અને જાન્યુઆરી, 2022માં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત થી દાન કરાવેલા હાથોના ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મેળવનાર પુનાનો 31 વર્ષીય યુવાન તેમજ ઓરંગાબાદની35 વર્ષીય મહિલા તેમના પરિવારજનો સાથે ભાગ લેવા આવી રહ્યા છે. આ પતંગોત્સવમાં ઓર્ગન ડોનેશન કરનારના પરિવારજનો, શહેરની વિવિધ હોસ્પીટલના સંચાલકો, સુરત શહેરના ડોક્ટરમિત્રો, સામાજિક સંસ્થાઓ, સમાજના અગ્રણીઓ, સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ પક્ષના રાજકીય અગ્રણીઓ, શહેરના વિવિધ વિભાગના વડાઓ તથા શહેરીજનો સાથે મળીને પતંગના માધ્યમથી સમાજમાં અંગદાન- જીવનદાનનો સંદેશો ફેલાવશે. આ પતંગોત્સવમાં શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજમાં અંગદાન-જીવનદાનનો સંદેશો ફેલાવવા ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ અપીલ કરી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.