KP ગ્રુપના CMD ફારુક પટેલને ડોક્ટરેટની માનદ પદવી

રિન્યુએબલ એનર્જી સોલાર અને વિન્ડ પાવર ક્ષેત્રે કામ કરતા KP ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ફારુક ગુલામ પટેલને ડોક્ટરેટની માનદ પદવીથી નવાજવામાં આવ્યા છે. ફારુક પટેલ દ્વારા રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના બિઝનેસમાં 28 વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા ઈનોવેશન, ટેલેન્ટ અને ક્રિએટિવ મેનેજમેન્ટ માટે તેઓને હોનોરરી ડોક્ટરેટની પદવી અમેરિકન ઈસ્ટ કોસ્ટ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે. તા. 11 જૂન 2023ના રોજ વડોદરાની સયાજી હોટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમેરિકન ઈસ્ટ કોસ્ટ યુનિવર્સિટી દ્વારા આ પદવી એનાયત કરાઈ હતી. યુનિવર્સિટીના ભારતના પ્રતિનિધિ પવન અગ્રવાલે ફારુકના ઈનોવેશન, ટેલેન્ટ અને ક્રિએટિવ મેનેજમેન્ટ કાર્યોનું આકલન કર્યું હતું અને કેપી હાઉસ ખાતે આવીને તેમનો ઈન્ટરવ્યુ કર્યો હતો. ઉપરાંત જરુરી ડોક્યુમેન્ટન એનાલિસીસ કર્યા બાદ આ પદવી આપવા માટેની પરવાનગી માટે ન્યૂયોર્ક ખાતે આવેલી યુનિવર્સિટીની વડી કચેરીએ મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી એપ્રુવલ આવતા ફારુક પટેલને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ફારુક પટેલને આ પહેલા લિઝેન્ડ ઓફ સુરત-2018, બિઝનેસ આઈકોન-2018, ધ લીડર્સ , રોટરી લમ્હે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. ફારુક પટેલની બે કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી લિ. અને કેપી એનર્જી લિ.એ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.